રાજ્યભરમાં કોરોના વાયરસને લઇને લૉકડાઉનનો કડક માહોલ ચાલી છે, તો આજથી રાજ્યના 3 શહેરના કર્ફ્યુગ્રસ્ત વિસ્તારોને મુક્ત કરવામાં આવ્યા છે ત્યારે ફરી એકવાર રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ રાજ્યના કાયદીય સ્થિતિને લઇને પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આજે સવારે 6 વાગ્યાથી રાજ્યમાં તમામ શહેરોમાંથી કર્ફ્યૂ હટાવી લેવાયો છે.
ગાંધીનગરથી DGP શિવાનંદ ઝા ની પત્રકાર પરિષદ
કોરોના વોરિયર્સ સામે સંઘર્ષમાં ન ઉતરવા લોકોને અપીલ
લોકડાઉનનો ભંગ થશે તો કડકાઈપૂર્વક કાર્યવાહીની આપી ચેતવણી
રાજ્યના DGP શિવાનંદ ઝાએ કહ્યું કરફ્યૂમાં લોકોએ સારો સહકાર આપ્યો છે. હવે રાજ્યમાં કોઈ પણ સ્થળે કર્ફ્યૂ નથી. પરંતુ હજુ પણ 3 મે સુધી લોકડાઉનનું ચુસ્ત અમલીકરણ કરાવાશે. જ્યાં કેસ વધારે છે ત્યાં લોકડાઉનના કડક અમલીકરણની સૂચના આપી દેવાઈ છે.
રાજ્યમાં બનેલી કર્ફ્ય ભંગની ઘટના બદલ નોંધાયેલા ગુનાની વિગત
આ સાથે જ તેમણે રાજ્યમાં બનેલી કર્ફ્યૂ ભંગની ઘટના અંગે જાણકારી આપતા કહ્યું હતું કે, અમદાવાદમાં કુલ 198 ગુનામાં 223ની ધરપકડ કરવામાં આવી છે. એવી જ રીતે સુરતમાં કુલ 155 ગુનામાં 158 લોકોની અને રાજકોટમાં કુલ 129 ગુનામાં 143 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ કર્ફ્યૂ દરમિયાન રાજ્યમાં કુલ 482 ગુના દાખલ કરવામાં આવ્યા તેમાં 544 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 51 ગુના ડ્રોન અને 6 ગુના CCTVના ઉપયોગથી દાખલ કરવામાં આવ્યા છે.
કોરોના વોરિયર્સ સામે સંઘર્ષમાં ન ઉતરવા લોકોને અપીલ
તેમણે કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, લોકડાઉનનો ભંગ થશે તો કડકાઈપૂર્વક કાર્યવાહી થશે. કર્ફ્યૂમાં લોકોએ પૂરતો સહકાર જેમ આપ્યો છે
તેમ લોકો લોકડાઉનનો અમલ કરે. આ સાથે જ પોલીસ પર હુમલામાં સંડોવાયેલા સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે તો કોરોના વોરિયર્સ સામે કોઈ પણ લોકોને સંઘર્ષમાં ન ઉતરવા તેમણે અપીલ કરી છે.