રાજ્યભરમાં લોકડાઉન અને કર્ફ્યૂના પાલન માટે પુરતા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. DGP શિવાનંદ ઝાએ જણાવ્યું કે લોકડાઉનના પાલન માટે પૂરતા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. રાજ્યના શહેરોમાં જે વિસ્તારોમાં કરફ્યૂ છે ત્યાં સમય વધારવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે અમદાવાદમાં કરફ્યૂ ભંગના અનેક ગુના નોંધાયા છે.
લોકડાઉનના પાલન માટે પૂરતા પ્રયાસ
જે શહેરોમાં કર્ફ્યૂ છે ત્યાં 24 એપ્રિલ સુધી યથાવત
અમદાવાદમાં કર્ફ્યૂ ભંગના 135 ગુના નોંધાયા
તેમણે વધુમાં જાણકારી આપતા કહ્યું હતું કે, અમદાવાદમાં કરફ્યૂ ભંગના 135 ગુના નોંધાયા અને 163 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સુરતમાં 113, રાજકોટમાં 70 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સુરતમાં કર્ફ્યૂ ભંગના 114 ગુના જ્યારે રાજકોટમાં કરફ્યૂ ભંગના 62 ગુના નોંધાયા છે.
કરફ્યૂ ભંગ કરશે તેમની સામે કડક કાર્યવાહી
આ સિવાય DGPએ કહ્યું કે કરફ્યૂ વિસ્તારોમાં કડક અમલ કરાવવામાં આવી રહ્યું છે. હવે જે લોકો કરફ્યૂ ભંગ કરશે તેમની સામે કડક કાર્યવાહી કરાશે.કરફ્યૂ ભંગમાં કુલ 364 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ સોસાયટીના CCTV ચેક કરી રહી છે
કરફ્યૂનું ચુસ્તપણે અમલ થાય તે માટે પોલીસ સોસાયટીના CCTV ચેક કરી રહી છે. CCTV ના આધારે 129 ગુના નોંધવામાં આવ્યા છે. જ્યારે ડ્રોનની મદદથી 7,260 ગુના નોંધાયા છે. CCTVના મદદથી 2,158 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
રાજ્યના 44 પોલીસ જવાનો કોરોના સંક્રમિત
રાજ્યમાં પોલીસ જવાનો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. જીવના જોખમે ફરજ નિભાવતા પોલીસ જવાનોને પણ કોરોના થઈ રહ્યો છે. રાજ્યના 44 પોલીસ જવાનો કોરોના સંક્રમિત થયા છે.
અમદાવાદના 34 પોલીસકર્મી કોરોનાની ઝપેટમાં
અમદાવાદના 34 પોલીસ જવાનો કોરોનાથી સંક્રમિત થયા છે. વલસાડ, વડોદરા ગ્રામ્ય, રેલવે પોલીસના જવાનોને પણ કોરોના થયો છે. પરંતુ આ તમામ કર્મચારીઓમાંથી માત્ર બે કર્મચારીઓમાં જ કોરોનાના લક્ષણ દેખાતા અનેક સવાલો ઉભા થયા છે.