રાજ્ય સહિત સમગ્ર દેશમાં કોરોનાએ કહેર મચાવ્યો છે અને રાજ્યમાં કોરોના સંક્રમીતોનો આંકડો 1200ને પાર પહોંચ્યો તેમ છતાં કેટલાક રાજ્યના પોલીસ કર્મચારીઓ પોતોના જીવને હથેળીમાં રાખીને 24 કલાક ફરજ બજાવી રહ્યા છે. તેમછતાં કેટલાક લોકો રાજ્યના પોલીસ વડા દ્વારા આપવામાં આવેલ આદેશનું પાલન કરી રહ્યા છે. ત્યારે આજે ફરીવાર નિયમનોનો ભંગ કરનાર લોકોને રાજ્યના પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સમાં કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી.
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ યોજેલ પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના 3 શહેરના અમુક વિસ્તારમાં કર્ફ્યૂ છે જ્યાં કર્ફ્યૂનુ કડકપણે પાલન થઈ રહ્યુ છે. તેમ છતાં કેટલાક લોકો દ્વારા કર્ફ્યુ ભંગ પણ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં કર્ફ્યૂ ભંગના 103 ગુના, સુરતમાં 64 ગુના દાખલ કરીને 68ની ધરપકડ તથા રાજકોટમાં કર્ફ્યૂ ભંગના 15 ગુના દાખલ કરવામાં આવ્યા છે.
રાજસ્થાન જતાં કામદારોને અટકાવાયા
આ સાથે જ તેમણે વધુમાં જાણકારી આપી હતી કે, માણસોની હેરાફેરીનો અમીરગઢ ચેકપોસ્ટ પર બનાવ સામે આવ્યો છે. કેટલાક કામદારો રાજસ્થાન જવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે તેમને અટકાવીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
સરકારી કર્મચારીઓ પર હુમલો કરનારાઓ સામે લેવાશે પગલા
પોલીસ વડાએ માહિતી આપી હતી કે, પોલીસકર્મીઓ, આરોગ્ય વિભાગ પર હુમલાના મામલાઓ પણ સામે આવી રહ્યા છે. તો આ હુમલાને હળવાશથી નહીં લેવામાં આવશે નહીં તો હુમલો કરનાર વિરૂદ્ધ પાસા સહિતની કાર્યવાહી થશે.
PPE શૂટ ટૂંક સમયમાં અપાશે
રાજ્યમાં પોલીસકર્મીઓને કોરોનાનું સંક્રમણ થવા મુદ્દે DGPએ વાત કરતા જણાવ્યું હતું કે, કોરોનાગ્રસ્ત પોલીસકર્મી અને તેમના પરિવારની લેવાઈ રહી છે કાળજી. જે પોલીસકર્મીઓ કર્ફ્યુ ધરાવતા વિસ્તારોમાં ફરજ બજાવી રહ્યા છે તેમને PPE શૂટ ટૂંક સમયમાં આપવામાં આવશે