રાજ્યના DGP શિવાનંદ ઝાએ ફરીવાર લોકોને સોશિયલ ડિસ્ટંન્સિંગ અને લોકડાઉનનું ચુસ્ત પાલન કરવા અપીલ કરી. આ સાથે જ ચેતવણી પણ આપી કે, નિયમોનો ભંગ કરતા લોકો વિરૂદ્ધ વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે જ્યાં સંક્રમણ વધ્યું છે ત્યાંની ચિંતા કરવી જરૂરી છે.
DGP શિવાનંદ ઝાની પ્રેસ કોન્ફરન્સ
નિયમ તોડશો તો થશે કાર્યવાહી
ઘરે રહો, સુરક્ષિત રહો
રાજ્યના હોટસ્પોટ વિસ્તારોમાં કર્ફ્યૂ લગાવાયા બાદ પણ લોકો ગંભીર નથી. કર્ફ્યૂમાં છૂટછાટના સમયે મહિલાઓ સોશિયલ ડિસ્ટંસિંગનું પાલન ન કરતી હોવાનું સામે આવ્યું છે. ત્યારે રાજ્યના DGPએ ફરીવાર કર્ફ્યૂ અને સોશિયલ ડિસ્ટંસિંગનું ચુસ્ત પાલન કરવા સલાહ આપી છે.
લૉકડાઉનનો અમલ નહીં કરનાર સામે થશે કાર્યવાહી
આ સાથે જ ચેતવણી પણ આપી છે કે જે લોકો નિયમોનું પાલન નહીં કરે તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત લૉકડાઉન વચ્ચે મુસાફરોની હેરાફેરી કરતા વાહનચાલકો વિરૂદ્ધ પણ તેમને લાલઆંક કરી છે.
ગુજરાતમાં કોરોના વાયરસના 1000થી વધુ કેસ
ગુજરાતમાં કોરોનાને કહેર વધ્યો છે ત્યારે અમદાવાદમાં સૌથી વધુ કેસ અત્યાર સુધી નોંધાય છે. રાજ્યમાં કોરોનાના કેસ 1000ને પાર પહોંચીને કુલ 1021 થયો છે. જેમાં માત્ર અમદાવાદમાં 590 કેસ છે જ્યારે તેના બાદ વડોદરામાં સૌથી વધારે 137 છે. આવામાં અમદાવાદમાં છેલ્લાં સપ્તાહથી કેસમાં રોજ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદ ગુજરાતનું વુહાન બની રહ્યું છે.
કરફ્યૂ ભંગ કરનાર સામે કરાઇ કાર્યવાહી
અમદાવાદમાં કરફ્યૂ ભંગના ગુના બદલ 82 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સુરતમાં કરફ્યૂ ભંગના ગુના બદલ 26 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે સુરતમાં કરફ્યૂ ભંગના 4 ગુના ડ્રોન મારફતે નોંધવામાં આવ્યા છે.