રાજ્યના DGP શિવાનંદ ઝા દ્વારા મોટો આદેશ આપવામાં આવ્યો છે. દારૂબંધીના અમલીકરણ પર ખાસ ભાર મુકતા આવતી કાલથી સપ્તાહ સુધી રાજ્યમાં પોલીસ દારૂ-જુગારના અડ્ડાઓ પર ત્રાટકશે.
DGP શિવાનંદ ઝા એ દારૂ-જુગારના અડ્ડાઓ નાબૂદ કરવા રાજ્ય અને જિલ્લાની એજન્સીઓને સૂચના આપી દેવામાં આવી છે. આ સિવાય એલ.સી.બી. અને ક્રાઈમ બ્રાન્ચ અને પીસીબીને પણ રેડ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
દારૂ અને જુગાર સામેની મુહિમ અંગે મુખ્યમંત્રીનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર દારૂબંધી માટે કટિબદ્ધ છે. સંપૂર્ણ નશાબંધી માટે ખાસ મુહિમ ચલાવશે. દારૂ અને જુગારના અડ્ડાઓ પર રેડ પાડવામાં આવશે.
મહત્વનું છે કે, લોકસભા ચૂંટણી બાદ રાજ્ય સરકાર ફરી દારૂ-જુગારના અડ્ડાઓ પર રેડ કરશે. આવતીકાલથી દારૂના અડ્ડા પર પોલીસ સપાટો બોલાવશે. આ ડ્રાઇવ 2 જૂનથી 10 જૂન સુધી ચાલશે.
ઉલ્લેખનીય છે કે દારૂ અને જુગારના અડ્ડાઓ બંધ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સાથે જુગારીઓ પર પણ કાર્યવાહી કરવામાં આવશે.