કોરોના વાયરસ મહામારીમાં લોકડાઉન પર ગુજરાતની પરિસ્થિતિ પર રાજ્યનાં પોલીસ વડાએ પત્રકાર પરિષદ કરી સંબોધી જેમાં તેમણે રમઝાન મહિનામાં લોકોને ધાર્મિક સ્થળો પર ભેગા ન થવા માટે આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યું કે જો લોકડાઉનનું ભંગ થશે તો પોલીસ કાર્યવાહી કરશે
વેપારીઓએ સોશિયલ ડિસ્ટન્શિંગનું પાલન કરીને જ દુકાનો ખોલી શકશે
લોકોને ઘરમાં રહી નમાઝ કરવાની અપીલ કરીએ છીએ : શિવાનંદ ઝા
ટુ વ્હિલર પર માત્ર એક જ વ્યક્તિએ સવારી કરવાની છૂટ
કોરોના મહામારીના લોકડાઉન વચ્ચે આજે રાજ્યના પોલીસ વડાએ સંબોધેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે રાજ્યની તમામ પ્રજાએ સોશિયલ ડિસ્ટન્શિગનો ચુસ્ત પણ પાલન કરવાનું છે. સરકાર દ્વારા દુકાનો ખોલવાની પરમિશન અપાઈ છે પરંતુ જો વેપારી સોશિયલ ડિસ્ટન્શિંગનો ભંગ કરશે તો કાર્યવાહી થશે ઉપરાંત દુકાનમાં પણ 50 ટકા જ સ્ટાફ સાથે કામ કરવાનું છે.
શિવાનંદ ઝાએ વધુમાં ઉમેર્યું કે આજથી રમઝાન માસની શરૂઆત થાય છે પરંતુ સૌ કોઈને વિનંતી છે કે રમઝાન હોવા છતાં લોકો ધાર્મિક સ્થળોએ ભેગા ના થાય. લોકડાઉનનું ચુસ્ત પાલન કરીએ, જો એ ભંગ થશે તો પોલીસ કાર્યવાહી કરશે. લોકોને ઘરમાં રહી નમાઝ કરવાની અપીલ કરીએ છીએ. આ ઉપરાંત ટુ વ્હિલર પર માત્ર એક જ વ્યક્તિએ સવારી કરવાની છૂટ છે અને કારમાં બે વ્યક્તિ. આના કરતાં વધુ લોકો પરિવહન કરશે તો પોલીસ કાર્યવાહી કરશે.