ભાજપના નેતા જયંતિભાનુશાળીની હત્યા થતા જ રાજકીય માહોલ ફરી એક વખત ગરમાયો છે. આરોપોની વણઝાર ફરી એક વખત છબીલ પટેલ સામે થઈ રહી છે. ત્યારે છબીલ પટેલનો અગાઉ જે વીડિયો વાયરલ થયે હતો તે ફરી ચર્ચાનું મુખ્ય બિંદુસાર બન્યો છે. અગાઉ વાયરલ થયેલા આ વીડિયોમાં છબીલ પટેલ કહી રહ્યા હતા. કે દુશમનોને હું જોઈ લઈશ. આંગળીના ઈશારા બંદુક દ્વારા દર્શાવી તેમણે ઢિંચ્ચકાઉ શબ્દનો પણ ઉલ્લેખ કર્યો હતો. જે વીડિયો હવે ફરી એક વખત ગરમાયો છે. ત્યારે જયંતિ ભાનુશાળીની હત્યા મામલે CID ક્રાઇમના DGP આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી મહત્વની જાણકારી આપી હતી.
તેમાં તેમણે જણાવ્યુ હતું કે ડાંગમાંથી બે શાર્પશૂટરની ધરપકડ કરવામાં આવી છે. અશરફ અને શશીકાંત કામલેની ધરપકડ કરવામાં આવી છે. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં અત્યાર સુધી 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ રાહુલ અને નીતિન પટેલની ધરપકડ કરી હતી. ગઇકાલે બે શાર્પશુટરોની પણ ધરપકડ કરવામાં આવી છે. રાહુલ અને નીતિને શાર્પશુટરોને મદદ કરી હતી. 12 દિવસ સુધી શાર્પશુટરો નારાયણ ફાર્મ હાઉસમાં રોકાયા હતાં. તેમની સાથે અન્ય એક ઇસમ પણ નારાયણ ફાર્મ હાઉસમાં રોકાયો હતો. છબીલ પટેલે હત્યા માટે સોપારી આપી હતી. આ સોપારી પેટે રૂપિયા 30 લાખ આપવાનું નક્કી કરવામાં આવ્યુ હતું. બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. મુંબઇના મોલમાં છબીલ પટેલ અને શાર્પશુટરો વચ્ચે મુલાકાત થઇ હતી.
પહેલા ભુજમાં હત્યા કરવાનો પ્લાન કર્યો હતો. પરંતુ નાસી છુટવાની જગ્યાની યોગ્યતા ન લાગતા શાર્પશુટરે ના પાડી હતી. ત્યારબાદ ટ્રેનમાં જ હત્યા કરવાનું નક્કી કર્યું હતું. ટ્રેનમાં હત્યા પહેલા રેકી કરી હતી. ત્યારબાદ હત્યા કરી શાર્પશુટરો ફરાર થયા હતાં. જયંતિ ભાનુશાળી AC કોચમાં મુસાફરી કરે તેવી માહિતી હતી. સામખ્યાળી સુધી મુસાફરી કરી ત્યાં જ હત્યા કરવાનું નક્કી કર્યું હતું. છબીલે પહેલા કેસ પૂર્ણ થવાનું કહ્યું અને ત્યારબાદ શાર્પશૂટરને ફોન કર્યો હતો. અશરફ અને શશીકાંત હથિયારોની વ્યવસ્થા કરીને આવ્યા હતાં. બન્નેએ એડવાન્સ 5 લાખ રૂપિયા આપ્યા હતાં. 31 ડિસેમ્બરે હત્યા કરવાનો પ્લાન કર્યો હતો. પરંતુ સમય યોગ્ય ન લાગતા તારીખ બદલી હતી.
કેમ થઈ દુશ્મની ?
છબીલ પટેલ કોંગ્રેસમાં હતા ત્યારે ભાનુશાળીના રાજકીય હરિફ હતા
ભાજપમાં જોડાતા ભાનુશાળીની ટિકિટ કાપીને છબીલ પટેલને મળી