ડીજીસીએના જણાવ્યા અનુસાર આ તમામ ઘટનાઓની ગંભીરતાથી તપાસ ચાલી રહી છે. 18 દિવસમાં સ્પાઈસ જેટ એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામીની 8 ઘટનાઓ સામે DGCA હરકતમાં આવ્યું
18 દિવસમાં એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામીની 8 ઘટનાઓ પર માંગ્યો જવાબ
દિલ્હી-દુબઈ ફ્લાઈટમાં ખામી સર્જાતાં પાકિસ્તાનમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું
કંડલા-મુંબઈ ફ્લાઇટમાં પણ ખામી સર્જાતાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું
તાજેતરમાં 18 દિવસમાં સ્પાઈસ જેટ એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામીની 8 ઘટનાઓ સામે આવી છે, જેને લઈ હવે DGCA હરકતમાં આવ્યું છે અને સ્પાઈસ જેટને નોટિસ ફટકારી છે. વાસ્તવમાં દિલ્હી-દુબઈ ફ્લાઈટનું ઈંધણ ઈન્ડિકેટરમાં ખામી સર્જાયા બાદ પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે તે જ દિવસે, કંડલા-મુંબઈ ફ્લાઇટને મધ્ય હવામાં વિન્ડશિલ્ડમાં તિરાડ પડ્યા બાદ મહારાષ્ટ્રની રાજધાનીમાં લેન્ડ કરવામાં આવી હતી.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ સ્પાઈસ જેટને નોટિસ જારી કરી છે. માહિતી અનુસાર, છેલ્લા 18 દિવસમાં 8 ખરાબી ઘટનાઓ બાદ DGCAએ સ્પાઇસજેટને કારણ બતાવો નોટિસ જારી કરી છે. મંગળવારે આ બે ઘટનાઓ સામે આવ્યા બાદ છેલ્લા 18 દિવસમાં સ્પાઈસ જેટ એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામીની 8 ઘટનાઓ સામે આવી છે. ડીજીસીએના જણાવ્યા અનુસાર આ તમામ ઘટનાઓની ગંભીરતાથી તપાસ ચાલી રહી છે.
DGCA (Directorate General of Civil Aviation) issues show-cause notice to SpiceJet in connection with the degradation of safety margins of its aircraft. pic.twitter.com/eD5r0vPSk0
નોંધનીય છે કે, સ્પાઈસ જેટ એરલાઈન છેલ્લા ત્રણ વર્ષથી ખોટમાં ચાલી રહી છે. સસ્તી સેવા પૂરી પાડતી સ્પાઇસજેટને 2018-19માં રૂ. 316 કરોડ, 2019-2020માં રૂ. 934 કરોડ અને 2020-21માં રૂ. 998 કરોડનું નુકસાન થયું હતું. ઉડ્ડયન ક્ષેત્ર કોરોના રોગચાળામાંથી પુનઃપ્રાપ્ત થઈ રહ્યું છે. એવિએશન કન્સલ્ટિંગ ફર્મ CAPA એ 29 જૂનના રોજ જણાવ્યું હતું કે, ભારતીય એરલાઇન્સની ખોટ 2021-22માં $3 બિલિયનથી ઘટીને 2022-23માં $1.4 અને 1.7 બિલિયનની વચ્ચે આવી શકે છે.