ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એ એરલાઇન્સ ફ્લાઈટ દરમિયાન મુસાફરો દ્વારા કરવામાં આવતા અયોગય વ્યવહારને પહોંચી વળવા માટે ફ્લાઈટના ક્રૂ સભ્યો માટે નવા નિયમો તૈયાર કર્યા છે. ડીજીસીએએ કહ્યું છે કે કોવિડ -19 રોગચાળાની વચ્ચે નવા નિયમો અને કાયદા લાગુ કરવાને કારણે મુસાફરોમાં તણાવ વધ્યો છે. જેનાથી તેમની અને ક્રૂ સભ્યો વચ્ચેના વિવાદમાં વધારો થઈ શકે છે.
નવા નિયમોની આ જગ્યાએ મળશે માહિતી
આથી મુસાફ અને ક્રૂ સભ્યો વચ્ચેના વિવાદમાં વધારો થઈ શકે છે
આ નિયમ ફ્લાઈટમાં સુરક્ષાને બરકરાર રાખવા બનાવાયા છે
ડીજીસીએએ કહ્યું છે કે ક્રૂ સભ્યોને નવા મુદ્દાઓથી વાકેફ હોવું જોઈએ. જે તેમને કામ આવી શકે. જેમ કે મુસાફરો માસ્ક ન પહેરતા હોય અથવા ફ્લાઇટ દરમિયાન તેમના ચહેરાને ઢાંકતા ન હોય, કોવિડના લક્ષણોના કારણે મુસાફરોમાં ઝઘડો થાય વગેરે.
ડીજીસીએએ કહ્યું કે, "કોવિડ -19ની સ્થિતિમાં ગેર વર્તણુંક કરતા મુસાફરોને પહોંચી વળવા માટે ઓપરેટર (એરલાઇને)એ વિમાનમાં મુસાફરી કરવા માટેના સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ કાર્યવાહી (એસઓપી) પર વિસ્તૃત વર્ણન કરવું જોઈએ."
ડિરેક્ટોરેટ જનરલે એરલાઇન્સને ઉત્પાતી મુસાફરોને પહોંચી વળવા માટે પોતાના નિયમો વિશે પોતાની વેબસાઈટ પર, ટિકિટ ખરીદી સમયે, ચેક-ઇન પ્રક્રિયા દરમિયાન શક્ય તેટલી વ્યાપક માહિતી આપવા જણાવ્યું છે.