ઇસ્લામાબાદઃ પાકિસ્તાની સેનાએ પુલાવામા હુમલા બાદ શુક્રવારે ભારતને જવાબ આપ્યો. પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ ઇન્ટર સર્વિસેઝ પબ્લિક રિલેશન્સ(આઇએસપીઆર)એ ડીજી મેજર જનરલ આસિફ ગફૂરે શુક્રવારને પ્રેસ કોન્ફરન્સ કરી અને જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલ હુમલા પર સેનાએ સ્પષ્ટ વલણ કર્યું. ગફૂરે કહ્યું કે અમે જંગ માટે તૈયાર નથી થઇ રહ્યા પરંતુ ભારત આની ધમકી આપી રહ્યું છે. ડીજી ગફૂરે કહ્યું કે પાકિસ્તાન જંગની શરૂઆત કરવામાં નથી લાગ્યું પરંતુ જો બીજી તરફથી યુદ્ધ કરવામાં આવશે તો અમે આનો જવાબ આપીશું.
ગફૂરે કહ્યું કે, એવું કઇ રીતે થઇ શકે કે એલઓસી પરા કરીને કોઇ ત્યાં(પુલવામા) પહોંચી જાય જ્યાં તેની સેના હાજર છે. જો એવું થયું તો તેની સેના ત્યાં 70 વર્ષથી છે. તો પછી તેમને તેમની સેનાને સવાલ પૂછવો જોઇએ. તેમણે આટલા પૈસા બરબાદ કર્યા છે. જે ગાડીથી હુમલો થયો તેઓ પાકિસ્તાનથી નથી ગઇ. જેણે હુમલો કર્યો તે ત્યાંનો યુવક જ હતો, તેની 2007માં ધરપકડ થઇ હતી.
Major General Asif Ghafoor,DG ISPR,Pakistan Army on talks in India that Pakistan is preparing for war: We're not preparing for war. It's you(India) who is sending war threats. We're not preparing for initiating a war but we've a right to respond to the war threats from your side pic.twitter.com/INfcG5KfrM
ડીજી ગફૂરે કહ્યું કે અમે બહુ મુશ્કેલીથી અહીં પહોંચ્યા છીએ. અમે અફઘાનિસ્તાનમાં અલ કાયદા વિરૂદ્ધ કામયાબી મેળવવામાં મદદ કરી. અમારા પ્રધાનમંત્રીએ ભારતને તે ઓફર આપી છે જે પહેલા ક્યારેય કોઇએ નહોતી આપી. આ પહેલા એવું નથી થયું. પાકિસ્તાન જ્યારે પણ ચર્ચા માટે કહેતું હતું ત્યારે ભારત કહેવું હતું કે પહેલા આતંકવાદ પર વાત થશે. અમારા પ્રધાનમંત્રીએ કહ્યું કે હા, આના પર વાત થશે.