દેવશયની એકાદશી પર હનુમાનજીની પૂજાનો વિશેષ સંયોગ બની રહ્યો છે. અષાઢ માસની શુક્લ પક્ષની એકાદશીની તિથિ આ વખતે મંગળવારે હોવાથી અનેક લોકોને રાહત મળશે.
દેવશયની એકાદશી અને મંગળવારનો સંયોગ
મંગળ દોષ, સાડાસાતી અને શનિની ઢૈય્યાથી પરેશાન લોકોને મળશે મોટી રાહત
હનુમાનજીની પૂજાનો વિશેષ સંયોગ બની રહ્યો છે
પંચાંગના અનુસાર 20 જુલાઈ 2021ના રોજ મંગળવાર અને અષાઢ મહિનાની શુક્લ પક્ષની એકાદશીની તિથિ પણ છે. શાસ્ત્રોમાં તેને એકાદશીની તિથિનું ખાસ મહત્વ અપાયું છે. અષાઢ શુક્લની અગિયારસને દેવશયની અગિયારસ કહેવાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે.
દેવશયની અગિયારસનું મહત્વ
દેવશયની અગિયારસ અષાઢ મહિનાની છેલ્લી અગિયારસ છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર દેવશયની અગિયારસથી ચાતુર્માસનો પ્રારંભ પણ થાય છે. દેવશયની અગિયારસથી ભગવાન વિષ્ણુનો શયનકાળ પ્રારંભ થાય છે. આ તિથિથી ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં વિશ્રામ કરવા માટે પ્રસ્થાન કરે છે. ભગવાન વિષ્ણુનો શયનકાળ દેવઉઠી અગિયારસે સમાપ્ત થાય છે.
હનુમાન પૂજા
20 જુલાઈએ મંગળવારનો દિવસ છે, આજે હનુમાનજીની પૂજા ઉત્તમ માનવામાં આવે છે. માન્યતા છે કે મંગળવારે હનુમાનજીની પૂજા કરવાથી તેઓ પ્રસન્ન થાય છે. પોતાના ભક્તોને આર્શિવાદ આપે છે. હનુમાનજીની પૂજા કરવાથી શનિદેવ પણ શાંત રહે છે. શનિની સાડાસાતી અને ઢૈય્યાની જે લોકો પર અસર છે તેમને આજે મોટી રાહત મળઈ શકે છે. આજે હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરવાથી મનોકામના પૂરી થાય છે. હનુમાનજીની પૂજા કરવાથી જીવનમાં આવતી પરેશાનીઓથી મુક્તિ મળે છે. હનુમાનજીની પૂજા કરવાથી મંગળદોષ પણ દૂર થાય છે.