અમૃતસર તેના સુવર્ણ મંદિર માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે. માત્ર શીખ જ નહી બીજા ધર્મના લોકો અહીં માથું ટેકવા માટે આવે છે. અમૃતસર સુવર્ણ મંદિર ઉપરાંત તેના સ્વાદિષ્ટ ભોજન માટે પણ પ્રખ્યાત છે. સુવર્ણ મંદિરમાં ચાલતુ લંગર એ આખી દુનિયામાં એક અદભૂત દાખલો બની ગયુ છે. શીખોના ગુરુ નાનક દેવે લંગરના વિચાર મૂક્યો હતો આજની તારીખમાં સુવર્ણ મંદિરમાં હજારો લોકો મફતમાં જમે છે. છતાંય ત્યાં ક્યારેય ભોજન ખૂટતુ નથી. સુવર્ણ મંદિરના લંગર વિશે જાણીને તમારા આશ્રર્યનો પાર નહી રહે.
- લંગર બધા જ માટે ખુલ્લુ છે. કોઇપણ ધર્મ કોઇપણ જાતિના લોકો આવીને જમી શકે છે. અહીં સ્વયંસેવકો દ્વારા ભોજન પીરસવામાં આવે છે.
- સુવર્ણ મંદિરના લંગરમાં રોજ સરેરાશ એક લાખ જણ જમે છે. તહેવાર કે વિકેન્ડમાં આ સંખ્યા બમણી થઇ જાય છે. ગમે તેટલા લોકો જમવા આવે લંગરમાંથી કોઇ ભૂખ્યુ નથી જતુ.
- અહીં દરરોજ લગભગ 7000 કિલો જેટલો ઘઉંનો લોટ 1300 કિલો દાળ 1200 કિલો ભાત અને 500 કિલો ઘી આવે છે. આ સામગ્રીમાંથી રોજ ભોજન બનાવાય છે. દરરોજ 100 LPG સિલિન્ડર વપરાય છે અને 500 કિલો લાકડા જોઇએ છે. સરેરાશ 450 સ્વંયસેવકો શાક છોલવા સમારવાથી માંડી રસોઇ બનાવવા સાફ સફાઇ કરવા વગેરે માટે ખડેપગે હાજર રહે છે.
- લંગરમાં શાહકારી ભોજન જ પીરસાય છે. આખી દુનિયામાંથી શ્રદ્ઘાળુઓ લંગરની મુલકાતે આવે છે અને તેઓ જે દાન કરે તેમાંથી લગંરનો ખર્ચ નીકળી જાય છે.
- રસપ્રદ વાત એ છે કે લંગરમાં જે વાસણો વપરાય છે તે સ્વયંસેવકોના જુદા-જુદા જૂથો દ્વારા 3 વખત ધોવામાં આવે છે જેથી થાળીઓ એકદમ ચોખ્ખી હોય હજારો સ્ટીલની થાળી વાડકા ચમચી રોજ ધોવાય છે.
- સુવર્ણ મંદિરમાં રોટલી બનાવવાનું મશીન છે જેમાં દર કલાકે 3000-4000 રોટલી બને છે. સ્ત્રી સ્વંયસેવકો હાથે પણ દર કલાકે 2000 રોટલી બનાવે છે.
- લંગરના રસોડામાં મોટા તપેલા અને વાસણો જોવા મળશે. લંગર સવારે આઠ વાગ્યાથી ભોજન પીરસવાનું ચાલુ કરવામાં આવે છે. આથી અહીં સ્વયંસેવકો મોડી રાત સુધી કામ કરતા હોય છે.