મધ્યપ્રદેશના રાયસેન જિલ્લાના ગામ ગુદાવલમાં સ્થાપિત કંકાલી મંદિરની આમ તો દરેક લોકો જાણે છે કે મા પોતાના ચમત્કાપો માટે હંમેશા ઓળખાય છે પરંતુ આ મંદિરમાં દેવીનો ચમત્કા બાકીના મંદિરથી ખૂબ અલગ છે.
કહેવામાં આવે છે કે આ મંદિરમાં સ્થાપિત માતાની મૂર્તિની ગરદન આડી છે જે અચાનક જાતે જ સીધી થઇ જાય છે.
કહેવામાં આવે છે કે આ ચમત્કારને અહીંયા રહેતા લોકોની સાથે સાથે અન્ય દેશો-વિદેશોથી આવેલા લોકોએ પોતે જોયો છે.
એને લઇને એક માન્યતા એવી પ્રચલિત છે કે જો નવરાત્રી દરમિયાન માતાની ગરદનને સીધી થતા જોઇ લે છે તો એમના જીવનમાં બગડેલા કામ સીધા થઇ જાય છે.
પરંતુ કહેવામાં આવે છે કે આ તક માત્ર કેટલાક સૌભાગ્યવાન લોકોને જ પ્રાપ્ત થાય છે.
કંકાલી મંદિરના નામથી પ્રસિદ્ધ આ મંદિરમાં મા કાલીની 20 ભૂજાઓ વાળી મૂર્તિની સાથે સાથે બ્રહ્મા વિષ્ણપ અને મહેશની મૂર્તિઓ પણ સ્થાપિત છે.
અહીંના પૂજારીઓ પ્રમાણે લગભગ નવરાત્રીના દિવસોમાં માતાના 45 ડિગ્રી નમેલી ગરદન થોડીક ક્ષણો માટે સીધી થઇ જાય છે. જેને જોવા લોકો દૂર દૂરથી આવે છે.
આ ઉપરાંત બીજી એક માન્યતા છે કે જે મહિલાઓ સંતાન સુખથી વંછિત છે જો એ લોકો અહીંયા છાણથી ઊંધા હાથ લગાવે છે તો એમને સંતાન સુખ પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે જ્યારે એમની ઇચ્છા પૂર્ણ થાય છે તો છાણની સાથે સીધા હાથનો નિશાન બનાવે છે.