તંત્ર શાસ્ત્રમાં ટોટકાનું વિશેષ મહત્વ છે. ઘણાં તંત્ર-મંત્રનો ઉપયોગ લોકોની ભલાઇ માટે થાય છે તો કેટલાક ટોટકા એવા પણ છે જેનાથી સામેવાળી વ્યકિત પર નકારાત્મક પ્રભાવ પડે છે.
જાદુટોણા માટે ઘણી વસ્તુઓનો પ્રયોગ થાય છે જેમકે લવિંગ ઇલાયચી મીઠું મરચું લીબું વગેરે. આમાંથી જો લીબું- મરચાની વાત કરવામાં આવે તો આનો ઉપયોગ અપેક્ષિત રીતે વધારે થાય છે. લીંબુ ખાટું અને મરચું તીખું હોય છે અને આ બંનેનો ગુણોનો પ્રયોગ કોઇનુ પણ ધ્યાન અને એકાગ્રતા ભંગ કરવા માટે થઇ શકે છે.
તમે જોયું હશે કે લોકો પોતાના ઘર અને દુકાનની બહાર લીંબુ-મરચાં લટકાવે છે અને જ્યારે તે બગડી જાય છે ત્યારે ઉતારીને ફેંકી દે છે. અમુક લોકો આને કોઇ ગાર્ડન ફેંકે છે તો કેટલાક લોકો રોડ કે ગલીમાં ફેંકી દે છે. એવામાં કોઇનો પગ આ લીબું- મરચામાં પર પડે તે સ્વભાવિક છે.
તમારા ઘરમાં વડીલોએ તમને જરૂર કહ્યું હશે કે રસ્તામાં પડેલા લીંબુ-મરચાં પર પગ પડવાથી નકારાત્મક શક્તિઓને આમંત્રણ મળે છે. ઘણાં લોકો આને માત્ર અંધવિશ્વાસ માને છે પરંતુ આવુ માનવું અંધવિશ્વાસ નથી. આની પાછળ એક મોટુ કારણ રહેલુ છે.
ઘર અને દુકાનની બહાર લીંબુ-મરચાં લટકાવવાનો મતલબ છે કે જો કોઇ વ્યકિતની ખરાબ નજર ઘર કે દુકાન પર પડશે તેની ખરાબ નજરને લીંબુ-મરચાં ગ્રહણ કરી લેશે અને મજાક નથી આવું ખરેખર થાય છે.
લીંબુ-મરચાં સંપૂર્ણ રીતે સડી જાય છે ત્યારે તેને રસ્તા પર ફેંકી દેવાય છે. આમ કરવાથી જેને લીંબુ-મરચાં ફેંક્યા તેના માટે તો સારું છે. કારણ કે જેટલા વ્યકિતના પગ ફેંકેલા લીંબુ-મરચાં પર પડે છે તેટલી જ નકારાત્મક દ્રષ્ટિ ફેંકનાર વ્યકિતના ઘર અને દુકાન પરથી ઘટતી જાય છે.
પરંતુ જે લોકોના પગ આવા લીંબુ-મરચાં પર પડે છે એના જીવનમાં ધીરે-ધીરે નકારાત્મકતા પ્રસરે છે. અને તેમના કાર્યોમાં વિધ્નો આવે છે. જેનું સ્પષ્ટ કારણ લીંબુ-મરચાંમાં રહેલી નકારાત્મક ઉર્જા છે. આ જ કારણ છે કે અવારનવાર રાહદારીઓ રોડ પર પડેલાં લીંબુ-મરચાં પર પગ મૂકવાથી બચે છે. ખાસ કરીને પરિવારજનો આ પ્રકારની કોઇપણ વસ્તુ પર પગ મૂકવાથી બચવાની સલાહ આપે છે.