આજે પણ ભારતમાં અનેક એવા મંદિર છે. જે વિધર્મીઓના આક્રમણ પછી પણ અડિખમ ઉભા છે. આ મંદિરમાં હજુ પણ અનેક ભેટ આવે છે. દેશના મંદિરોનો વૈભવ જોઈ તમને આશ્ચર્ય થઈ જશે. જેમાંથી એક છે વૈષ્ણોદેવીનું મંદિર. આ મંદિરમાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આવે છે. ભક્તો રૂપિયા ઉપરાંત અનેક વસ્તુઓ દાનમાં આપે છે.
તિરુપતિ બાલાજીનું મંદિર આંધ્રપ્રદેશના ચિતૂર જિલ્લામાં સ્થિત છે. તિરુપતિ મંદિરમાં ભગવાન વેંકટેશ્વર નિવાસ કરે છે. ભગવાન વેકટેશ્વરને વિષ્ણુજીનો અવતાર માનવામાં આવે છે. આ મંદિરમાં રોજ 60 000 ભક્ત આવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે લાખો રૂપિયાના દાન સાથે અહિં પ્રસાદના લાડુ વેચીને આશરે 75 કરોડ રૂપિયાની આવક થાય છે. જ્યારે મંદિરને વાર્ષિક 650 કરોડ રૂપિયા પ્રાપ્ત થાય છે.
ઓડિશાના પ્રસિદ્ઘ જગન્નાથ મંદિર પુરીમાં સ્થિત છે. આ મંદિરમાં ભગવાન જગન્નાથ બિરાજમાન છે. આ મંદિરને ચારધામ યાત્રામાંથી એક ગણવામાં આવે છે. આ મંદિરને દેશના ધનિક મંદિરોમાં ગણવામાં આવે છે. આ મંદિરની સંપત્તિ કરોડો રૂપિયાની છે.
પદ્મનાભસ્વામી મંદિર વિશે એવું કહેવાય છે કે ત્રાવણકોર રાજપરિવારે આ મંદિર પર સોના અને અન્ય કિંમતી આભૂષણોનો ચડાવો કર્યો હતો. જે પછી અહિ ઘરેણાં દાન કરવાની માન્યતા ચાલી હતી. અહિ મોટાભાગની મૂર્તિઓ સોનાની બનેલી છે. એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુની મૂર્તિની કિંમત 500 કરોડ રૂપિયા છે. અહિં રોજ લાખો રૂપિયાનું દાન આવે છે.
મંદિરમાં સિદ્ઘિવિનાયક મંદિર ગણેશજીનું સૌથી ચર્ચિત મંદિર છે. સિદ્ઘિ વિનાયક મંદિર ભારતના ધનિક મંદિરોમાંથી એક માનવામાં આવે છે. આ મંદિરને 3.7 કિલોગ્રામ સોનાથી કોટ કરવામાં આવ્યુ છે કહેવામાં આવે છે જેણે કોલકાતાના એક વેપારીએ આ સોનાનું ગુપ્ત દાન કર્યુ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે અહિ રોજ આશરે 25 હજાર રૂપિયાથી લઈ 2 લાખ રૂપિયા સુધીનું દાન આવે છે. અહિ કાળા પથ્થરના બનેલા ગણેશ ભગવાનની મૂર્તિ પર સૌથી વધારે દાન ચડાવવામાં આવે છે. આ મૂર્તિ આશરે 200 વર્ષ જૂની છે. મંદિરની વાર્ષિક આવક 48 કરોડ રૂપિયાથી લઈ 125 કરોડ રૂપિયા સુધીની છે.
શિરડીના આ પ્રખ્યાત મંદિરમાં ભક્તજનો બાબાના દર્શન કરવા માટે આવે છે. વાર્ષિક દાનથી આ મંદિરને 360 કરોડ રુપિયાની આવક થાય છે. અહિ થોડા વર્ષ પહેલા દાનપેટીમાંથી હીરાજડિત હાર બહાર નીકળ્યાં હતાં. જેની કિંમત આશરે 92 લાખ રુપિયા જેટલી થતી હતી.