શિવ-પાર્વતીના પુત્ર ગણેશ માટે તો બધા લોકો જાણે છે પરંતુ એમના પુત્ર કાર્તિકેય માટે ખૂબ જ ઓછા લોકો જાણે છે. તમને જણાવી દઇએ કે જેમ ગણેશજીનું પૂજાનું ખૂબ મહત્વ છ એમ કાર્તિકેય જીની પૂજા પણ ખૂબ લાભકારી માનવામાં આવે છે. આજે અમે તમને એમના જ મંદિર માટે જણાવવા જઇ રહ્યા છીએ. જે વર્ષમાં માત્ર એક જ વખત ખુલે છે. પરંતુ જે દિવસે મંદિરના દ્વારા ખુલે છે એ દિવસે ભક્તોની ભીડ જામે છે.
પૌરાણિક માન્યતાઓ અનુસાર કાર્તિક મહિનામાં ભગવાન વિષ્ણુએ શિવ પાર્વતીના પુત્ર કાર્તિકેયને ધર્મ માર્ગને પ્રબળ કરવાની પ્રેરણા આપી હતી. એટલા માટે આ મહિનો એમના દ્વારા કરવામાં આવેલી સાધનાનો મહિનો માનવામાં આવ્યો છે. કહેવામાં આવે છે કે એટલા માટે આ મહિનાને કાર્કિત મહિનાનું નામ આપવામાં આવ્યું હતું.
આ જ કારણ છે કે ભગવાન કાર્તિકેયનું આ મંદિર વર્ષમાં એક જ વખત કાર્તિક પૂનમે ખુલે છે. જણાવી દઇએ કે ભગવાન કાર્તિકેયનું આ અદ્ધુત મંદિર મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં સ્થિત છે. એના માટે કહેવામાં આવે છે કે આ ભારત દેશનું એકમાત્ર મંદિર છે જે આશરે 400 વર્ષ જૂનું છે. અહીંયા શિવ પાર્વતીના પુત્ર ભગવાન કાર્તિકેયની સાથે સાથે ગંગા યમુના સરસ્વતી અને ત્રિવેણીની મૂર્તિઓ સ્થાપિત છે.
મંદિરના પૂજારીઓ દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે કાર્તિક પૂનમના દિવસે મંદિરના દ્વાર સવારે ચાર વાગ્યે ખુલે છે. ભક્તો સવારે 4 વાગ્યાથી ભગવાનની એખ ઝલક માટે લાંબી લાઇનોમાં ઊભા રહે છે. મંદિરના પ્રાંગણમાં ભગવાન કાર્તિકેયની સાથે આ મંદિરમાં હનુમાનજી ગંગા જમુના સર્વતી અને લક્ષ્મીનારાયણ વગેરે મંદિર છે આ તમામ મંદિરમાં તો રોજ દર્શન કરવામાં આવે છે. પરંતુ કાર્તિકેયના દર્શન માત્ર પૂનમના દિવસે જ થાય છે.