આપણને દરેક લોકોને રાત્રે સૂતી વખતે સપના આવતાં હોય છે. એ સપના કોઇ પણ પ્રકારના હોઇ શકે છે. ક્યારેક બીક લાગે એવા તો ક્યારેક ભગવાનના દર્શન પણ થઇ જાય છે. ચાલો જાણીએ સપનામાં કયા ભગવાન આવવાનો શો છે અર્થ ?
જો તમે સપનામાં શિવજીની પૂજા કરતાં નજર આવો છો તો આપે સમયસર તે શિવ મંદિરનાં દર્શન કરી લેવા જોઇએ જેનાં વિચાર તમને આવે છે તેનાંથી આપનું અટકેલુ કામ પૂર્ણ થશે
સપનામાં બજરંગબલીનાં દર્શન થાય તો તેનો અર્થ છે કે તમારો દૂશ્મનો પર વિજય થવાનોછે.આપ સારા માર્ગ પર આગળ વધી રહ્યાં છો. બજરંગબલીની કૃપા આપ પર બનેલી રહેશે. જોકેઆપનું આચરણ સારુ હોવું જોઇએ.
જો આપને સપનામાં યમરાજ આવે છે અને ડરીને આખો ખુલી ગઇ તો ડરવાની જરૂર નથી. સપનાં યમરાજનું આવવું અશુભ નહીં શુભ છે. તેનો અર્થ છે કે આપનાં જીવનમાં આવેલું કોઇ સંકટ ટળી ગયુ છે. જો આપ કે આફનાં પરિવારમાં કોઇ બીમાર છે તો તેનું સ્વાસ્થ્ય સુધરશે.
જો આપને સપનામાં ગણપતિનાં દર્શન થાય છે તો તેનો અર્થ છે કે આપનાં અટકેલાં કામ નિર્વિઘ્ન પૂર્ણ થશે અને પરિવારમાં શુભ કાર્યનું આયોજન થશે. ઘરમાં ખુશીઓ આવશે
જો આપને સપનાંમાં માતા લક્ષ્મીનાં દર્શન થાય તો તેનો અર્થ છે કે તમને જીવનમાં ક્યારેય ધનની કમી નહીં આવે. તેથી સવારે ઉઠીને માતાનાં વિગ્રહની સામે દેસી ઘીનો દિવો કરો અને મખાના કે પછી ખીરનો ભોગ ચઢાવવો.