તમે એવા ઘણા મંદિરો માટે સાંભળ્યું ગશે જ્યાં ચોરી થઇ ગયેલો સામાન મળી જાય એની પ્રાર્થના કરવામાં આવે છે. પરંતુ શું તમે એવા કોઇ મંદિર માટે સાંભળ્યું છે જ્યાં તોરી કરવા પર તમારી મનોકામના પૂર્ણ થઇ જાય છે. જી હાં સાંભળવામાં થોડું અજીબ લાગે છે પરંતુ આ સાચું છે. ચલો જાણીએ આ મંદિરની ચોરી કરવાની અનોખી પ્રથા માટે.
હિંદુ ધર્મનું માનીએ તો ચોરી કરવાનું પાપ ગણવામાં આવે છે અને મંદિરમાં ચોરી કરીએ તો મહાપાપ કહેવાશે. પરંતુ એક એવું મંદિર છે જ્યાં આવું કરવું પાપ માનવામાં આવતું નથી. પરંતુ આવું કરવાથી મનોકામનાની પૂર્તિ થાય છે. જણાવી દઇએ કે આ મંદિર ઉત્તરાખંડમાં આવેલું છ જે સિદ્ધપીઠ ચૂડામણિ દેવી મંદિરના નામથી ઓળખાય છે. માન્યતા છે કે અહીંયા ચોરી કરવા પર જ વ્યક્તિની ઇચ્છા પૂર્ણ થાય છે.
રુડકીના ચુડિયાલ ગામમાં આવેલું સિદ્ધપીઠ ચૂંડામણી દેવી મંદિરમાં પુત્ર પ્રાપ્તિની ઇચ્છાને પૂર્ણ કરવા માટે છે અહીંયા પતિ પત્ની માથું નમાવે છે. મંદિર માટે પ્રચલિત માન્યતાઓ અનુસાર જે પરણિત દંપતીને પુત્રની ઇચ્છા હોય છે જો એ આ મંદિરમાં આવીને માતાના પગમાં લાકડી ચોરી કરીને પોતાની સાથે લઇ જાય તો એમની પુત્ર પ્રાપ્તિની ઇચ્છા પૂર્ણ થાય છે. કહેવાય છે કે જ્યારે એમની આ ઇચ્છા પ્રાપ્ત થઇ જાય છે ત્યારે પુત્ર સાથે માતા પિતાએ પણ અહીંયા દર્શન કરવા આવવું પડે છે. સ્થાનિક લોકોનું માનીએ તો આ મંદિરનું નિર્માણ 1805માં લંઢોરા રિયાસતના રાજાએ કરાવ્યું હતું.
પૌરાણિક માન્યતાઓ અનુસાર ઘણા વર્ષ પહેલા એક રાજ હતો જેનો કોઇ સંતાન નહતો. એક દિવસે એ રાજા મંદિરની પાસેના જંગલમાં શિકાર કરવા આવ્યો અને એને મા પિંડીના દર્શન થયા. કહેવાય છે કે અહીંયા દર્શન કર્યા બાદ એમેન પુત્રની કામના કરી ત્યારબાદ થોડાક દિવસો બાદ એમને પુત્રની પ્રાપ્તિ થઇ ગઇ. આ ઘટના બાદ રાજાએ આ મંદિરનું નિર્માણ કરાવ્યું.