ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં બહુચરાજીનું મંદિર માત્રા રાજ્ય અને દેશમાં જ નહીં પરંતુ દુનિયામાં પણ પ્રખ્યાત છે. વિદેશોમાં રહેતા ભારતીયોને પણ આ મંદિરમાં અખૂટ શ્રદ્ઘા રહેલી છે. અહીં પૂનમ જેવા તહેવારોમાં ભક્તોનો ધસારો ખાસ રહેતો હોય છે.
આ મંદિરમા લગ્ન પછી છેડાછેડી, બાઘા વગેરે માટે બહુચરમાની પૂજા કરાય છે. આ મંદિરમાં લોકોને ખૂબ જ આસ્થા છે. અને આસ્થા પૂર્ણ થાય છે તેવું ભક્તોનું માનવું છે. આગળ જાણો આ મંદિર સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતો અને આ મંદિરે સુધી કઇ રીતે પહોંચી શકાય..
બહુચરાજીમાં ખાસ કરીને નિસંતાન દંપત્તિ સંતાનની મનોકામના સાથે અહીં આવે છે. બહુચરમાના આશીર્વાદથી લોકોના ઘરે સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. અહીં કિન્નર સમુદાયના લોકો ખાસ પૂજા અને અનુષ્ઠાનનું આયોજન કરે છે. માન્યતા એવી પણ છે કે, ઘણા દુષ્ટ રાક્ષસોના ભક્ષણ કરવાથી તેમને બહુચરાજી કહેવામાં આવે છે.
માતા કરે છે કૂકડાની સવારી:
બહુચરાજી કૂકડાની સવારી કરે છે. તેમની આ સવારીને લઇને એક પ્રચલિત દંતકથા પણ છે. કહેવાય છે કે, એક વખત અલ્લાઉદ્દીન દ્ઘિતિય પાટણને જીતીને આ મંદિરને તોડવા માટે સેના સાથે પહોંચ્યો હતો ત્યારે દેવીના વાહન મરઘા ચરી રહ્યા હતા અને સૈનિકોએ મરઘા પકડીને ખાઇ લીધા, પણ એક મરઘો બચી ગયો. જ્યારે સવારે બાંગ પોકારવાનું શરૂ કર્યુ તો સૈનિકોને પેટની અંદરથી મરઘા પણ બાંગ પોકારવા લાગ્યા અને પેટ ફાડીને બહાર આવ્યા. આ જોઈને અલ્લાઉદ્દીન સહિત તમામ સિપાહી મંદિર તોડ્યા વગર જ ભાગી ગયા.
કિન્નરો પણ કરે છે બહુચરમાની અરાધના:
એક પૌરાણિક કથા અનુસાર, ગુજરાતમાં એક વખત નિસંતાન રાજાએ સંતાન પ્રાપ્તિ માટે બહુચરમાની અરાધના કરી. માએ પ્રસન્ન થઇને તેમણે પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ આપ્યા. રાજાને ઘરે પુત્ર થયો, પણ તે નપુંસક હતો. એક દિવસ બહુચરાજી માતા તેમના સપનામાં આવ્યા અને તેને ગુપ્તાંગ સમર્પિત કરીને મુક્તિના માર્ગે આગળ વધવા માટે કહ્યુ. રાજકુમારે એવુ જ કર્યુ અને માતાજીના ઉપાસક બની ગયા. આ ઘટના પછી તમામ કિન્નરો પણ બહુચરમાને પોતાના કુળદેવી માનીને ઉપાસના કરે છે.
આ રીતે પહોંચી શકાય છે બહુચરાજી:
આ મંદિર અમદાવાદથી 90 કિમીના અંતરે આવેલુ છે. અહીં પહોંચવા માટે અમદાવાદ રણુજા પેસેજન્સ ટ્રેન જાય છે. જે કાલુપુર સિવાય ચાંદખેડા રોડ અને સાબરમતી અને કલોલ સ્ટેશન પરથી મળી રહેશે. બહુચરાજી જવા માટે GSRTCની બસો પણ જાય છે. આ સિવાય કાર કે ટેક્સી ભાડે કરીને પણ અહીં પહોંચી શકાય છે