યાત્રાધામ પાવાગઢ મંદિરની આસપાસ સ્વચ્છતા રાખવા આજથી છોલેલા શ્રીફળ પર પ્રતિબંધ, યાત્રાળુઓને તકલીફ ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રીફળ વધેરવાનું મશીન મુકાયું
પાવાગઢ મંદિરમાં આજથી છોલેલા શ્રીફળ પર પ્રતિબંધ
પાવાગઢ ટ્રસ્ટે શ્રીફળ નહીં લઇ જવાનો કર્યો નિર્ણય
પાવાગઢ ખાતે શ્રીફળ વધેરવાનું મશીન મુકાયું
યાત્રાળુઓને તકલીફ ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા મશીન મુકાયું
પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે આજથી કોઈપણ વ્યક્તિ છોલેલું શ્રીફળ મંદિરમાં લાવી શકશે નહીં. છોલ્યા વિનાનું આખું નાળિયેર માતાજીને ધરાવી ઘરે લઈ જવાનું ફરમાન શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા કરાયું છે. યાત્રાધામ પાવાગઢ મંદિરમાં આજથી છોલેલા શ્રીફળ પર પ્રતિબંધ લગાવ્યો છે. મંદિરની આસપાસ સ્વચ્છતા રાખવા નિર્ણય લેવાયો છે. મહત્વનું છે કે, અત્યારે પુરતી માચી ખાતે શ્રીફળ વધેરવાના મશીન મુકાયા છે. આ પહેલા દુધિયા તળાવ પાસે શ્રીફળ વધેરવાની જગ્યા હતી.
યાત્રાધામ પાવાગઢ મંદિરમાં આજથી છોલેલા શ્રીફળ પર પ્રતિબંધ લગાવાયો છે. પાવાગઢ ટ્રસ્ટે છોલેલા શ્રીફળ નહીં લઈ જવાનો નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે, છોલ્યા વિનાનું આખું નાળિયેર માતાજીને ધરાવી ઘરે લઈ જવાનું ફરમાન શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા કરાયું છે. જોકે આ મંદિરની આસપાસ સ્વચ્છતા રાખવા નિર્ણય લેવાયો છે.
પાવાગઢ ખાતે શ્રીફળ વધેરવાનું મશીન મુકાયું
શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા શ્રીફળ વધેરવાનું મશીનનું આજે ઉદ્ઘાટન કરવામાં આવશે. નોંધનીય છે કે, મંદિર ટ્રસ્ટ દ્વારા છોલેલું શ્રીફળ મંદિરમાં લઈ જવા પર પ્રતિબંધ મુક્યો છે. જેથી હવે આજથી મંદિરમાં નવા નિયમની અમલવારી કરવામાં આવશે. નોંધનીય છે કે, યાત્રાળુઓને તકલીફ ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા મશીન મુકાયું છે.
છોલેલું શ્રીફળ વેચવા પર પ્રતિબંધ
ભક્તોએ મંદિરમાં શ્રીફળ જાતે ચડાવી ચૂંદડી સાથે ઘરે લઇ જવાનું રહેશે. આ સાથે જ મંદિરની આસપાસ કોઈ વેપારીઓ પણ છોલેલું શ્રીફળ વેંચી શકશે નહીં. જો વેપારી પાસે છોલેલું શ્રીફળ મળશે તો કાર્યવાહી કરવામાં આવશે. વેપારી સામે પવિત્ર સ્થાનમાં સ્વચ્છતા ન રાખવા બદલ કાર્યવાહી કરાશે. શક્તિ દ્વારથી જ સિક્યુરીટી ગાર્ડ દ્વારા ભક્તોને તપાસીને અંદર પ્રવેશ અપાશે. સિક્યુરીટી ગાર્ડ સાથે તકરાર કરનાર સામે પોલીસ ફરીયાદ કરાશે.
વેપારીઓ અને શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ
કાલીકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિયમ તમામ ભક્તો માટે આજથી જ લાગુ કરાયો છે. આ નિર્ણયને પગલે સ્થાનિક વેપારીઓ અને શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા શું અપાઈ હતી સૂચના ?
આજ તારીખ 14/3/23ના રોજ મંદિર ટ્રસ્ટ દ્વારા અગત્યની સૂચના આપવામાં આવે છે કે (1) તારીખ 20/3/23 ને સોમવારથી કોઈપણ વ્યક્તિ છોલેલું શ્રીફળ મંદિરમાં લાવી શકાશે નહીં. (2) મંદિરમાં શ્રીફળ પોતે જ માતાજીને ધરાવી ચૂંદણી સાથે ઘરે લઈ જવાનું રહેશે. (3) ઘરે લઈ ગયા પછી આ શ્રીફળ ચુંદડીમાં બાંધી આપ મંદિરમાં પૂજામાં મૂકી રાખો તેવો આગ્રહ છે. અથવા ઘરે જઈને પાણીયારે મૂકી પછી તેનો પ્રસાદ કરી આપ સૌને વહેંચી શકો છો. (4) જે વેપારીઓ પાસેથી છોલેલું શ્રીફળ મળશે તેઓની સામે પવિત્ર સ્થાનમાં સ્વચ્છતા રાખવામાં સહકાર નહીં આપવા તથા ગંદકી કરવા બદલ સરકારના સંબંધિત અધિકારી દ્વારા નિયમોનુસાર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. (5) મંદિર ટ્રસ્ટના સિક્યુરિટી ગાર્ડ શક્તિ દ્વારથી એટલે કે દુધિયા તળાવથી ચેક કરશે અને છોલેલું શ્રીફળ ઉપર લાવવા દેશે નહીં. જેની નોંધ સર્વ વેપારી અને માઈ ભક્તોને લેવા વિનંતી. (6)સિક્યુરિટી સાથે તકરાર કરનાર સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે.