મહારાષ્ટ્ર સરકારની પરવાનગી બાદ રાજ્યના તમામ ધાર્મિક સ્થળો સોમવારે ખોલવામાં આવ્યા છે. કોરોના મહામારીના કારણે ધાર્મિક સ્થળ 24 માર્ચથી બંધ હતા. લગભગ 8 મહિના બાદ ફરી ખુલવા પર સવારથી જ મંદિરોમાં દર્શન માટે શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી છે. મુંબઈ સ્થિત શ્રી સિદ્ધિવિનાયક મંદિરના દ્વાર ફરીથી ખુલ્યા બાદ શ્રદ્ધાળુ સવારે 4 વાગ્યાથી દર્શન માટે લાઈન લગાવીને રાહ જોતા રહ્યા, જો કે શ્રદ્ધાળુઓને પ્રસાદ ચઢાવવાની પરવાનગી આપવામાં આવી નથી.
રોજ ફક્ત 1 હજાર ભક્ત જ સિદ્ધિ વિનાયક મંદિરમાં પ્રવેશ કરી શકશે.
ભાજપના કાર્યકર્તાઓએ અનશન કર્યુ હતુ
દરેક કલાકમાં સેનેટાઈઝેશનનું કામ પણ થઈ રહ્યું છે
મદિરના ટ્રસ્ટના અધ્યક્ષ આદેશ બાંદેકરે કહ્યું કે દરેક કલાક 100 ભક્તોને બપ્પાના દર્શનની પરવાનગી આપવામાં આવી રહી છે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. દરેક કલાકમાં સેનેટાઈઝેશનનું કામ પણ થઈ રહ્યું છે. દર રોજ ફક્ત 1 હજાર ભક્ત જ સિદ્ધિ વિનાયક મંદિરમાં પ્રવેશ કરી શકશે.
Maharashtra: Devotees visit Mumbai's Siddhivinayak Temple as religious places reopen in the State today.
A devotee says, "I feel fortunate that I visited the temple in the new year, after Diwali. I'm very happy. All COVID-19 precautionary measures are being taken here." pic.twitter.com/L9Gvg15nSs
શ્રી સિદ્ધિવિનાયક મંદિરના ટ્રસ્ટના અધ્યક્ષ આદેશ બાંદેકરે કહ્યું કે એક મોબાઈલ એપ વિકસીક કરવામાં આવી છે. જેના માધ્યમથી સોમવારે શ્રદ્ધાળુ દર્શન માટે સમય બુક કરાવી શકે છે. દર્શન કરવા માટે ભક્તોએ મોબાઈલ એપ પર ‘શ્રી સિદ્ધિવિનાયક મંદિર’એપને ડાઉનલોડ કરવાનો રહેશે. તેમને ત્યાં સમય બુક કરાવવાનો રહેશે. એ બાદ નિર્ધારિત સમયે ક્યૂઆર કોર્ડનું સર્જન થશે. દિવસ ભરમાં હજારો લોકો માટે ક્યૂઆર કોર્ડ તૈયાર કરાશે.
મંદિરમાં ટેમ્પરેચર માપવામાં આવશે. માસ્ક અને બે વ્યક્તિ વચ્ચે 6 ફુટનું અંતર ફરજિયાત છે. 65 વર્ષથી વધારે ઉંમરના લોકો ગર્ભવતી અને 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ઘરે રહેવા કહેવામાં આવ્યું છે. તેમજ સેનેટાઈઝરનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે.
Maharashtra: Devotees offer prayers at Shri Ganesh Tekdi temple in Nagpur as it reopened today following the state government's permission to open religious places. pic.twitter.com/h6V3WuJPhz
સરકારના ધાર્મિક સ્થળો માટે જરુરી ગાઈડલાઈન રજૂ કરવામાં આવી છે. આ અંતર્ગત ગેટ પર સેનેટાઈઝર અને સ્ક્રીનિંગની વ્યવસ્થા, કોઈ પણ વ્યક્તિને મંદિર પરિસરમાં માસ્ક વગરે પ્રવેશવા દેવામાં નહીં આવે. સમય સમય પર હાથ ધોવા અને સેનેટાઈઝ કરવા જાગૃત કરવા, શ્રદ્ધાળુને મંદિર પરિસરમાં આવતા પહેવા ચંપલ બહાર છોડવા જેવી અનેક ગાઈડલાઈન સામિલ છે. ગાઈડલાઈનનો ભંગ કરનાર પર કડક કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે કોરોનાને ધ્યાનમાં રાખીને ધાર્મિક સ્થળોને પાછા ખોલવાને લઈને મહારાષ્ટ્ર સરકાર પર અનેક પક્ષો દ્વારા રાજકારણ રમવામાં આવ્યું હતું. અને જનતા પણ ધાર્મિક સ્થળો જલ્દી ખુલે તેવી માંગ કરી રહી હતી.એક મહિના પહેલા મુંબઈ સિદ્ધિ વિનાયક મંદિર, શિરડી સાઈ બાબા મંદિર અને પૂણેમાં તાંબડી જોગેશ્વરીની બહાર ભાજપના કાર્યકર્તાઓએ અનશન કર્યુ હતુ.