નવરાત્રી સ્પેશિયલ મેનુમાં સ્ટાર્ટર્સ, મેઈન કોર્સ અને ડેઝર્સ શામેલ કરવામાં આવશે.
નવરાત્રી પર ટ્રેનમાં મળશે સ્પેશિયલ ભોજન
IRCTCએ લોન્ચ કર્યું સ્પેશિયલ મેનુ
જાણો તેમાં શું હશે ખાસ
2 એપ્રિલથી શરી થવા જઈ રહેલી ચૈત્રી નવરાત્રિને લઈને ભારતીય રેલના IRCTC પણ તૈયારી કરી રહ્યું છે. નવરાત્રી વખતે વ્રત કરતા યાત્રાળુઓને ટ્રેનોમાં ખાસ નવરાત્રી સ્પેશિયલ મેનુ મળશે. આ મેનુમાં લસણ-ડુગળીનો ઉપયોગ નહીં કરવામાં આવે અને તેને ફક્ત સિંધાલૂણથી બનાવવામાં આવશે.
સામાન્ય રીતે જોવામાં આવ્યું છે કે નવરાત્રિ વખતે ટ્રેનમાં યાત્રા કરતા લોકો જેમનો ઉપવાસ હોય તેમને ભોજનની સમસ્યા થાય છે. એવામાં IRCTCએ વ્રત કરતા લોકોની ખાવા પીવાની દરેક ટેન્શનને ખતમ કરી દીધી છે અને ટ્રોનમાં તેમની સીટ પર જ વ્રતનું ભોજન ઉપલબ્ધ કરવાની જાહેરાત કરી છે.
નવરાત્રી સ્પેશિયલ મેનુમાં શું છે ખાસ?
એક રિપોર્ટ અનુસાર IRCTCના નવરાત્રિ સ્પેશિયલ મેનુમાં સ્ટાર્ટર્સ, મેન કોર્સ અને ડેઝર્સનો સમાવેસ થાય છે. સ્ટાર્ટર્સમાં બટાકાની વેફર અને સાબુદાણાની ટિક્કીને શામેલ કરવામાં આવી છે. મેન કોર્સમાં પનીર મખમલી અને પરોઠા, સાબુદાણાની ખિચડી અને દહીં, નવરાત્રી થાળી, કોફ્તા કરી શામેલ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત ડેઝર્ટમાં સીતાફળની ખીરને શામેલ કરવામાં આવી છે જણાવી દઈએ કે ટ્રેનોમાં ચૈત્રી નવરાત્રીના પહેલા દિવસથી એટલે કે 2 એપ્રિલથી આ વ્રતનું ભોજન મળવાનું શરૂ થઈ જશે.
ફક્ત 99 રૂપિયાથી શરૂ થશે નવરાત્રિ સ્પેશિયલ મેનુ
IRCTC દ્વારા જાહેર કરવામાં આવેલા આ નવરાત્રી સ્પેશિયલ મેનુમાં મળતા ભોજનની શરૂઆત 99 રૂપિયાથી થઈ રહી છે. ટ્રેનમાં યાત્રા કરનાર લોકો જેમનું વ્રત છે તેઓ ટિકિટ બુક કરતી વખતે નવરાત્રી સ્પેશિયલ ભોજન માટે ઓર્ડર આપી બુલ કરી શકે છે. તે ઉપરાંત IRCTCની ઈ-કેટરિંગમાંથી પણ ભોજન ઓર્ડર કરી શકાય છે. તેની સાથે જ યાત્રી 1323 પર કોલ કરીને પણ ભોજન ઓર્ડર કરી શકે છે.