દશા માની 10 દિવસ તન મન ધનથી પૂજા અર્ચના કર્યા બાદ મૂર્તિઓનું રોડ પર જ વિસર્જન કરી દેવામાં આવ્યું છે. ત્યારે આ દ્રશ્યોમાં તમે દશા માની મૂર્તિઓની કેવી દૂર્દશા થઇ છે તે જોઇ શકો છો. 10 દિવસ પૂજા તો મનથી કરવામાં આવે છે પરંતુ આસ્થાના નામે પૂજા કરતા ભક્તોએ માતાજીની મૂર્તિઓ રોડ પર રઝળતી મૂકી જતા રહ્યા હતા. કોર્પોરેશન દ્વારા કુંડ બનાવ્યા હોવા છતા પણ રોડ પર જ મૂર્તિઓ રઝળતી મૂકી દેવાઇ છે.