મહેસાણાઃ જિલ્લાના બહુચરાજીમાં પણ ભાદરવી પૂનમે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. માં બહુચરના દર્શન કરી ધન્યતા મેળવી હતી. તો આ તરફ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા પણ વિશેષ સવલતો ઉભી કરવામાં આવી હતી. જેને ભક્તોએ બિરદાવી હતી.
મહેસાણા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિરે આજે ભાદરવી પૂનમ હોવાથી રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પધાર્યા હતા. માં બહુચર ના દર્શન કરી ધન્યતા મેળવી હતી.
ભાદરવી પૂનમનું અંબાજી મંદિરે અનેરું મહત્વ છે. તો મહેસાણાના બહુચરાજીમાં આવેલા બહુચર માંના મંદિરે પણ ભાદરવી પૂનમનું વિશેષ મહત્વ છે. આથી આજે બહુચરાજી મંદિરે માં બહુચરના ચરણો માં શીશ ઝુકાવવા દૂર દૂરથી શ્રદ્ધાળુઓ પધાર્યા હતા. તો વળી મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓ માટે વિશેષ સવલતો કરવામાં આવી છે. તેમજ બાળા ત્રિપુરા સુંદરી માં બહુચર રાત્રે પાલખીમાં બેસી નગરચર્યા કરવા નીકળશે અને ભક્તોને દર્શન આપશે.
આમતો ભાદરવી પૂનમે અંબાજી માંના દર્શને લાખો ભક્તો પગપાળા દર્શને જતા હોય છે. તો બેચરાજીની વાત કરીએ તો માં બહુચરના ધામમાં પણ હજારોની સંખ્યામાં માઈ ભક્તો દુર દુરથી આવે છે. દુર દુરથી પગપાળા સંઘો પણ માંના દર્શનનો લ્હાવો લેવા આવે છે. દર વર્ષે આ ભાવી ભક્તો હજારોની સંખ્યામાં ભાદરવી પૂનમના દિવસે માંના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરવા ઉમટી પડે છે અને માં બહુચરના આશીર્વાદ મેળવે છે.
આમ મહેસાણા જીલ્લાના બેચરાજીમાં આવેલું આ માં બહુચરનું મંદિર ભક્તો માં એક અનેરું આસ્થાના પ્રતિકરૂપી માનવામાં આવે છે. તો વળી આજના દિવસેમાં બહુચરને રાત્રે ગાર્ડ ઓફ ઓનર આપવાની પણ પરંપરા ચાલી આવે છે.