વાત છે મોઢ જ્ઞાતિજનોનાં કુળદેવી મા મોઢેશ્વરીની. અદ્ભુત તથા દિવ્ય સ્વરૂપ ધરાવતાં મા મોઢેશ્વરીનો મોઢેરા ખાતે મહા સુદ તેરશે પાટોત્સવ છે. સમગ્ર મોઢ જ્ઞાતિજનો મા મોઢેશ્વરીની અપાર કૃપા ઝંખતાં ઝંખતાં તેમના પાટોત્સવની પોતાની શક્તિ મુજબ ઉજવણી કરે છે. જગત જનની મા મોઢેશ્વરી માતાનું મંદિર મહેસાણાથી લગભગ ત્રીસેક કિલોમીટર દૂર આવેલ છે. બહુચરાજીથી આ મંદિર વીસેક કિમી માંડ થતું હશે.
મોઢેરાની આ પવિત્ર ભૂમિમાં જગત નિર્માતા બ્રહ્માજીએ તપ કર્યું હતું. મોઢેરાનું જૂનું નામ મોહરકપુર હતું. તેની આસપાસનો વિસપાર ધર્મારણ્ય તરીકે ઓળખાતો હતો. આ વિસ્તાર સતયુગથી પોતાનું આગવું પરિવર્તન સ્વીકારતો સ્વીકારનો અસ્તિત્ત્વ ધરાવે છે. ત્રેતાયુગમાં આ સ્થળનું નામ સત્ય મંદિર હતું.
મોઢેરાનું સૂર્ય મંદિર જગવિખ્યાત હોવાથી અલ્લાઉદ્દીન ખીલજીએ તેને લૂંટ્યું હતું. સૂર્યમંદિરના ઘણા ભાગનો તેણે ખંડિત કર્યો. તેના આ કૃત્યથી ભક્તોએ માની મૂર્તિ અહીંથી વાવમાં પધરાવી દીધી છે. જે અસલ મૂર્તિ હજુ સુધી બહાર કાઢી શકાઈ નથી.
દ્વાપર યુગમાં વેદ ભુવન તરીકે આ સ્થળ ઓળખાતું હતું. કળિયુગમાં આજે તે મોઢેરા નામે ઓળખાય છે. આ સ્થળ ખૂબ પવિત્ર હોવાથી અહીં અનેક સાધુ સંતો ઋષિ મુનિઓએ ખૂબ તપ કર્યાં છે. મોઢેરામાં વસેલા મોઢ જ્ઞાતિજનોની આ જન્મભૂમિ છે. ગામના દ્વારમાં આવતાં મા મોઢેશ્વરીનું દિવ્ય મંદિર અત્રે જોવા મળે છે.
મા મોઢેશ્વરીનું એક નામ માતંગી માતા છે. મા માતંગીના મોઢેરામાં જ્યાં સ્થાન છે ત્યાં ભક્તો સતત અવિરત આવ્યા કરે છે. માનાં દર્શન કરી ભક્તો ધન્ય બને છે. અહીં મહા સુદ તેરશે માનો પાટોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાય છે. વર્ષો પહેલાં મોઢેરાના આ પ્રદેશમાં કર્ણાટ નામનો ભયંકર દૈત્ય ક્યાંકથી આવી ચડ્યો. તે અહીં આવતાં તમામ નર નારીને લૂંટતો. નાનાં બાળકો તથા સ્ત્રીઓને ખૂબ ક્રૂરતાથી મારતો હતો. આ રાક્ષસ કર્ણાટના ત્રાસથી મોઢ બ્રાહ્મણો તથા મોઢ વાણિયા મા માતંગીના શરણે ગયા. માને ખૂબ લાગણી તથા ભક્તિથી પ્રાર્થના કરી માને પ્રસન્ન કર્યાં.
ભક્તોનું દુઃખ જોઈ મા દયાર્દ્ર થઈ ગયાં. તેમણે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું. તેમનું મોં ગુસ્સાથી વિકરાળ બની ગયું. તેમના મોંમાંથી એક એક યોજન લાંબી અગનજ્વાળા નીકળવા લાગી. તેમના હિંગોળાં જેવાં નેત્ર લાલઘૂમ થયાં. તેમને અઢાર હાથ છે. તેમણે દરેક હાથમાં અસ્ત્ર તથા શસ્ત્ર ધારણ કરેલાં છે. અસ્ત્ર એટલે હાથમાંથી ફેંકીને વપરાતું આયુધ. જેમાં બરછી, ભાલો વગેરેનો સમાવેશ થાય છે.
શસ્ત્ર એટલે હાથમાં પકડીને કરાતો દુશ્મન ઉપરનો શસ્ત્ર પ્રહાર. દા.ત. તલવાર, પટ્ટીશ વગેરે. હવે માતાજી તથા કર્ણાટ વચ્ચે તુમુલ યુદ્ધ થયું. માતાજી જે અસ્ત્ર વાપરે તેનાથી ભયંકર અસ્ત્ર કર્ણાટ વાપરતો હતો. ખૂબ લાંબું આ યુદ્ધ ચાલ્યું. અંતે માતાજીનો વિજય થયો. કર્ણાટનો વધ થયો. સમસ્ત નગરજનો આ જોઈ ખૂબ આનંદમાં આવી ગયા. તેમણે ખૂબ ધામધૂમથી આ વિજયને વધાવી માનો પાટોત્સવ ઉજવ્યો. આ દિવસ મહા સુદ તેરશ હતો.
તે પાછળ એવી વાત છે કે એક ટંકે ૨૦ મણ મીઠું જ્યારે વાપરવામાં આવશે ત્યારે મા સ્વયંભૂ બહાર સંવત ૧૯૬૬માં આ મંદિરનો જીર્ણાેદ્ધાર કરવામાં આવ્યો છે.