દ્વારિકાધીશના દર્શને વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સોમનાથ મંદિરમાં વિશેષ પૂજામાં ભાગ લઈને મહાદેવના દર્શન કર્યા
નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી.. ના નાદ સાથે ભક્તોમાં અનોખો માહોલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં વિશેષ પૂજા કરી
ડાકોરમાં જન્માષ્ટમીની ઉજવણી, સુરતમાં સૌથી મોટા મટકીફોડ કાર્યક્રમનું આયોજન
સુરતમાં મહિલા મંડળ માટે પણ મટકી રાખવા આવી, આયોજનને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત
આજે જન્માષ્ટમી અને આપણી સદી ભાષામાં કહીએ તો ગોકુળ આઠમ. આજે ઠેર-ઠેર નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી.. ના નાદ સાથે ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીને લઇને ભક્તોમાં અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. જેને લઈ આજે દ્વારિકાધીશના દર્શને વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે.
આ એક એવો અવસર છે જ્યારે ભક્તો ભગવાન કૃષ્ણના બાળસ્વરૂપના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અનેક લોકો આ દિવસને કંઇ અનોખી રીતે ઉજવે છે. આ તરફ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સોમનાથ મંદિરમાં વિશેષ પૂજામાં ભાગ લઈને મહાદેવના દર્શન કર્યા હતા.
સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં CM ભૂપેન્દ્ર પટેલ
એક તરફ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને એમાં પણ આજે જન્માષ્ટમીનો ઉત્સવ છે. આજે ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીને લઇને ભક્તોમાં અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. તેવામાં આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથ મંદિરમાં વિશેષ પૂજામાં ભાગ લઈને મહાદેવના દર્શન કર્યા હતા.
CM ભૂપેન્દ્ર પટેલ ટ્રસ્ટના અગ્રણીઓ સાથે પૂજામાં જોડાયા અને મંદિર પર ધ્વજારોહણ કર્યું.
ડાકોરમાં જન્માષ્ટમીની ધૂમધામપૂર્વક ઉજવણી
યાત્રાધામ ડાકોરમાં પણ આજે કૃષ્ણ જન્મોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આજે રણછોડરાય મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા. જ્યાં મંદિર પટાંગણમાં ભક્તો નાદ લગાવ્યા હતા. જેને લઈ નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું. આજે મોટી સંખ્યામાં ભક્તો આવતા ડાકોરમાં ઘોડાપુર જોવા મળ્યું હતું. જન્માષ્ટમીને લઈ ભગવાનને ઉસ્તાપન ભોગ અને લીલો મેવો-ફળફળાદીનો ભોગ ધરાવવામાં આવ્યો હતો.
દ્વારકામાં જન્માષ્ટમી પર્વને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે જન્માષ્ટમીના પાવન દિવસે ગોમતી ઘાટે માનવ મહેરામણ ઉમટ્યું છે. હાલ ગોમતી ઘાટે યાત્રિકોની ભારે ભીડ ઉમટી પડતાં અનેરા દ્રશ્યો સર્જાયા છે. જોકે નોંધનીય છે કે, પવિત્ર ગોમતીમાં સ્નાન કરવાનો અનેરો મહિમા છે. આ તરફ દ્વારકા નગરીમાં કૃષ્ણ જન્મોત્સવને લઈ મહિલાઓ ગરબે ઘૂમી હતી. આજે માલધારી સમાજની બહેનો કૃષ્ણને પ્રસન્ન કરવા ગરબા અને રાસ રમી હતી. મહત્વનું છે કે, વર્ષો જૂની પરંપરાને જીવંત રાકહી જુના રાસ ગાઈ અને રમીને કૃષ્ણ ભક્તિની અભિવ્યક્તિ આ વહેનો દ્વારા કરવામાં આવી છે.
સુરતમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીનું આયોજન
આ તરફ સુરતમાં પણ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. વિગતો મુજબ આજે ભાગળ ચાર રસ્તા ખાતે સૌથી મોટા મટકીફોડ કાર્યક્રમનું આયોજન કરાયું છે. સંગર આયોજન સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા કરાયું છે. જેમાં સૌથી ઊંચી મટકી 40 ફૂટની રાખવામાં આવી છે. આ સાથે મટકી ફોડનારને 1.25 લાખ રૂપિયાનું ઇનામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં શહેરના 32 જેટલા ગોવિંદા મંડળો સ્પર્ધામાં ભાગ લેશે. તો વળી મહિલા મંડળ માટે પણ મટકી રાખવા આવી છે. જેથી હવે મહિલા ગ્રુપ દ્વારા પણ મટકી ફોડવામાં આવશે. આ સમગ્ર આયોજનને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.