જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં છેલ્લા 2 વર્ષ મેળો ન યોજાયો હોવાથી આ વર્ષે મેળો કરવાનો લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે
જૂનાગઢમાં શિવરાત્રીના મેળામાં જામ્યો માહોલ
અત્યાર સુધી 4 લાખ ભાવિકો આવ્યા
કાલે મુખ્યમંત્રી પણ આપશે હાજરી
જૂનાગઢ શિવરાત્રી મેળામાં અંદાજે 4 લાખ લોકો લીધી મુલાકાત
જૂનાગઢના ભવનાથમાં યોજાતા પાંચ દિવસીય મહાશિવરાત્રિના મેળાને આજે ત્રીજો દિવસ છે. અત્યાર સુધીમાં આ મેળામાં લગભગ 4 લાખ ભાવિકો આવી ચુક્યાં છે. ત્યારે આજે રવિવારે રજાનો દિવસ હોવાથી મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી સંભાવના છે.
સાધુ સંતો ના દર્શન સાથે ચારેબાજુ વહેતી ભક્તિની સરવાણી
જૂનાગઢમાં છેલ્લા 2 વર્ષ મેળો ન યોજાયો હોવાથી આ વર્ષે મેળો કરવાનો લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશભરમાંથી સાધુ સંતોની મોટી સંખ્યામાં ગીરનાર તળેટી પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે, મેળાના પ્રથમ દિવસે જ ભારે ભીડ જામી હતી. સામાન્ય રીતે દર વર્ષે શરૂઆતના બે દિવસ મેળામાં શ્રદ્ધાળું ઓછા જોવા મળે છે. પરંતુ આ વર્ષે મેળના પ્રથમ દિવસથી જ લોકોનું ઘોડાપુર ઉમટી પડ્યાનો મહોલ જોવા મળ્યો હતો.
આવતી કાલે CM મેળામાં આપશે હાજરી
આ વખતે મેળામાં રાજકીય હસ્તીઓ પણ આવીને આશીર્વાદ મેળવી રહ્યા છે. મેળો શરૂ થવાના એક દિવસ પહેલાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ ભવનાથ આવ્યા હતા અને મંદિરમાં દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા ત્યારે સોમવારે એટલે કે તા.28 ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ભવનાથ ખાતે આવશે અને તેઓ ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન મહાશિવરાત્રીના મેળા નિમિત્તે ભગવાન ભવનાથના દર્શન-પુજન કરવા સાથે સાધુ-સંતોના આશીર્વાદ મેળવશે.