આજે ભારતભરના શિવાલયોમાં ભગવાન ભોળાનાથના નાદ સાથે ગુંજી ઉઠયું છે. ત્યારે શિવાલયોમાં ભાંગ શિવભક્તોએ પ્રસાદીના રૂપી પીધી છે અને શિવજીની આરાધના કરવા માટે ભાવિકો ભાંગનું સેવન કરે છે.
ભક્તો શિવલિંગ પર ભાંગથી અભિષેક કરતા હોય છે
ભગાવવાન ભોળાનાથને ભાગ અતિ પ્રિય છે
શિવભક્તો શિવની ભક્તિ સાથે ભાંગની પ્રસાદીનો લહાવો મેળવે છે
દેશભરના શિવાલયોમાં ભાંગની પ્રસાદી આજના આ શિવરાત્રીના દિવસે શિવભક્તોને આપવામાં આવે છે. અને ભગાવવાન ભોળાનાથને પણ ભાગ અતિ પ્રિય છે. શિવ મંદિરખાતે ભક્તો શિવલિંગને ભાંગથી અભિષેક કરતા હોય છે. ત્યારે આ ભાંગ કેવી રીતે બનાવાવમાં આવે છે. અને શું છે તેનું મહત્વ જાણીએ.
ભાંગ શિવજીને પ્રસાદમાં ધરવામાં આવે
ભાંગએ સામાન્ય રીતે કેફી વસ્તુ છે પરંતુ અન્ય કેફી પદાર્થોના નશા કરતા ભાંગનો નશો સાત્વિક હોવાથી ધાર્મિક કાયદા કાનુનમાં તેનો નિષેદ નથી. પરીણામે શિવરાત્રીના દિવસે પ્રસાદીના રૂપે વિતરણ કરવામાં આવે છે. મહાશિરાત્રિનો ઉત્સવ એટલે જૂનાગઢમાં શિવભક્તોનો મેળો એકલા જૂનાગઢમાં જ એક હજાર કિલો ભાંગ શિવજીને પ્રસાદમાં ધરવામાં આવે છે. જયારે રાજ્યભરનાં શિવાલયોમાં પણ મોટી સંખ્યામાં ભાંગ શિવજીને પ્રવાહી સ્વરૂપમાં ધરવામાં આવે છે. જે ભાંગ વાટીને પાણી કે દુધમાં ઘોળીને પ્રવાહી બનાવવામાં આવે છે જે શિવજીને ધરાય છે બાદમાં ભક્તોને પ્રસાદી સ્વરૂપે વિતરણ કરવામાં આવે છે.
ભાંગનો પ્રસાદ કઈ રીતે બનાવવામાં આવે છે
ભાંગ બનાવવાની રીત જોઈએ તો પાંદડા સ્વરૂપની ભાંગને ઉકાળીને એક પથ્થર ઉપર લઢી તેનો માવો બનાવવામાં આવે છે. ત્યાર પછી તેમાં કાજુ, બદામ, પીસ્તા, અખરોટ, વરીયાળી, તીખા, ખસખસનાબી, ગુલાબના ફુલને સાથે લઢવામાં આવે છે. ત્યારબાદ તેમાં પ્રમાણસર ચોખ્ખુ દુધ સાકર અને ગુલકંદ ભેળવી તેને એકદમ મિકસ કરવામાં આવે છે. ત્યારબાદ તેને ઠંડી કરવા થોડો બરફ નાખી પીવા માટે ઉપયોગ કરાય છે.
ભાંગ બનાવવા જરૂરી સામગ્રી
સુકા ગુલાબના પાન
વરિયાળી
ખસખસ
મગતરીના બીજ
મરી
ખાંડ
એલચી
ગુલાબજળ
દૂધ
શિવની ભક્તિ સાથે ભાંગની પ્રસાદી
આજે મહાશિવરાત્રીનો પર્વ છે અને ભોળાનાથને ભજવા ભાવિકો અધિરા બન્યા છે. શિવાલયોમાં ગઇ કાલ સાંજથી જ વિવિધ શણગારોની તૈયારીઓ થઇ ચુકી છે. આજ ચાર પ્રહરની આરતી સાથે શિવમંદિરોમાં બમ બમ ભોલે, જય ગીરનારી, હર હર મહાદેવના નાદો ગુંજતા રહેશે. આ દિવસે ભાંગની પ્રસાદનું પણ અનેરૂ મહત્વ હોય શિવ મંદિરોમાં આરતી બાદ ભાવિક ભકતોને ભાંગની પ્રસાદીનું વિતરણ કરાયું છે આજે શિવભક્તોએ શિવની ભક્તિ સાથે ભાંગની પ્રસાદીનો લહાવો માણ્યો છે