લોકસભાની ચૂંટણીને લઇ રાજકીય પાર્ટીઓ પૂરજોશમાં પ્રચાર કરી રહી છે. ત્યારે ભાજપ 2019 લોકસભાની ચૂંટણી હિદુંત્વના મુદ્દે લડી રહી છે ત્યારે દેશભરમાંથી સાધુ-સંતો પણ છે પ્રચારમાં જોડાઇ રહ્યાં છે.
ત્યારે કચ્છના દેવનાથ બાપુએ પણ ભોપાલથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુર માટે 10 દિવસ સુધી ભોપાલમાં પ્રચાર કર્યો હતો અને દેવનાથ બાપુએ પ્રચાર બાદ દાવો કર્યો હતો કે સાધ્વી પ્રજ્ઞાને હિન્દુ સમાજનું સમર્થન છે અને તેઓ જીતી રહ્યાં છે.
ઉમા ભારતીનું પણ સાધ્વી પ્રજ્ઞાને સમર્થન
ભોપાલ લોકસભા બેઠક હાલ ચર્ચામાં છે. ભાજપે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને આ બેઠકના ઉમેદવાર બનાવ્યાં છે.ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુર ઉમા ભારતીને ભેટીને ભાવુક થઈ રડી પડ્યાં. હકીકતમાં ચૂંટણીપ્રચાર માટે જતા અગાઉ સાધ્વી પ્રજ્ઞા ઉમા ભારતીને મળવા માટે તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતાં. ભાજપના ફાયર બ્રાન્ડ નેતા ગણાતા ઉમા ભારતીએ તેમને ટીકો કર્યો હતો અને ખીર ખવડાવી તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેઓ સાધ્વી માટે પ્રચાર કરશે.
કાર સુધી મુકવા આવ્યા ઉમા ભારતી
મુલાકાત બાદ જ્યારે ઉમા ભારતી સાધ્વી પ્રજ્ઞાને તેમની કાર સુધી મુકવા આવ્યાં તો સાધ્વી પ્રજ્ઞા રડવા લાગ્યાં. આ જોઈને કારમાં બેઠેલા સાધ્વી પ્રજ્ઞાને ઉમા ભારતીએ ગળે લગાવ્યાં અને તેમને માથે ચુંબન કરીને આંસુ લૂછ્યાં હતા.