લોકસભા ચૂંટણીમાં ટિકિટ ના મળતાં સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ દેવજી ફતેપરા નારાજ હોવાની ચર્ચા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી. ત્યારે હવે કેન્દ્રિય ગુહ મંત્રી અમિત શાહે દેવજી ફતેપરાને દિલ્લીનું તેડુ મોકલ્યું હોવાની પણ અટકળો તેજ થઇ છે.
સૂત્રોને મળતી જાણકારી મુજબ સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ એવા દેવજી ફતેપરા આગામી બેથી ત્રણ દિવસમાં દિલ્લી જાય તેવી શક્યતા જોવા મળી રહી છે. દેવજી ફતેપુરાને ગત લોકસભા ચૂંટણીમાં ટિકિટ ના મળતાં રાષ્ટ્રીય નેતૃત્વથી નારાજ ચાલી રહ્યા હોવાનું સામે આવ્યું હતું.
જો કે દેવજી ફતેપુરાની નારાજગી હાલમાં યથાવત રહેતા અમિત શાહે દિલ્લી બોલાવ્યા હોવાની સૂત્રોને માહિતી મળી છે. ઉલ્લેકનીય છે કે લોકસભાની ચૂંટણીને લઇને સુરેન્દ્રનગર ભાજપમાં આંતરિક વિખવાદ ઉભો થયો હતો. લોકસભા બેઠક પરથી મહેન્દ્ર મુંજપરાને ટિકિટ આપતા દેવજી ફતેપરા નારાજ થયા હતા.
જો નારાજ દેવજી ફતેપરાએ પક્ષ છોડવા સુધીની વાત કહી હતી. આ મામલે દેવજી ફતેપરાએ જણાવ્યું હતું કે ભાજપમાં જુથવાદ છે. જો કે એ સમયે એવી પણ અટકળો ચાલી હતી કે દેવજી ફતેપુરા કોંગ્રેસમાં જોડાઇ શકે છે અને કોંગ્રેસ તેમને લોકસભામાં ચૂંટણી પણ લડાવી શકે છે. ભાજપમાં સેન્સની પ્રક્રિયા માત્ર એક નાટક છે.