દિલ્હીમાં આવેલા બરેલી શહેરને ભોલેનાથની નગરી માનવામાં આવે છે. એનું કારણ છે અહીંનું શિવ મંદિર બરેલી જિલ્લાની સમસ્ત દિશાઓમાં ભગવાન શિવના મંદિર સ્થાપિત છે. પરંતુ આ જ શેહરના સુભાષનગરના બદાયબ રોડ પર સ્થિત મા દુર્ગાનું પણ એક પ્રસિદ્ધ મંદિર છે જેને 84 ઘંટ મંદિરના નામથી ઓળખવામાં આવે છે આ મંદિર માટે વધારે કોઇ જાણતું નથી. તો ચલો આજે અમે તમને જણાવીએ કે આ મંદિરને કેમ 84 ઘંટ મંદિર કહેવામાં આવે છે.
પૌરાણિક માનતા અનુસાર આ મંદિરનું નિર્માણ 1969માં કરવામાં આવ્યું અને જે સ્થાન પર મંદિર સ્થિત છે એની પાસે જ સ્વર્ગીય ઉમાશંકર ગર્ગે મકાન બનાવવા માટે અહીંયા પર પ્લોટ લીધો હતો. મકાન બનાવવા માટે જ્યારે પાયો નાંખવામાં આવ્યો હતો ત્યારે ઉમાશંકરની પત્ની સ્વર્ગીય શકુંતલા દેવીના સપનામાં દેવી માં આવ્યા અને એમને મકાન બનાવતા પહેલા મંદિરના નિર્માણની વાત કહી. શંકુતલા દેવીએ જ્યાએ આ વાત પતિને કહી તો ઉમાશંકરે પહેલા રસ્તાના કિનારે દુર્ગાના માં ના મંદિરનું નિર્માણ કરાવ્યું. મંદિરમાં એક જ દિવસમાં 84 ઘંટ ચઢાવવામાં આવ્યા. જેના કારણે મંદિરનું નામ 84 ઘંટ પડ્યું. આ મંદિસ સાથે લોકોની અસિમ આસ્થા જોડાયેલી છે.
મંદિરમાં સળગેલી રહેલી અખંડ જ્યોતિ દેવી મંદિરમાં 12 ઓક્ટોબર 1969ના રોજ સળગાવવામાં આવી હતી. આ અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવી હતી. એની સાથે જ શિવ પરિવાર બજરંગબલીની પણ પ્રતિમા સ્થાપિત છે. મંદિરમાં દર્શન માટે બરેલી જ નહીં પરંતુ આખા દેશમાંથી લોકો અહીંયા આવે છે અને મનોકામનો પૂરી થવા પર આ મંદિરમાં ઘંટ ચઢાવે છે.
સામાન્ય રીતે આ મંદિરમાં લોકો દર્શન કરવા માટે આવે છે પરંતુ નવરાત્રીના દિવસોમાં આ મંદિરનો નજારો કંઇક અલગ જ જોવા મળે છે. અહીંયા મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે.
માન્યતા છે કે અહીંયા પર દર્શન માત્રથી જ લોકોની મનોકામના પૂરી થાય છે. ઇચ્છા પૂરી થવા પર ભક્ત દેવી મંદિરમાં ઘંટ ચઢાવે છે હાલમાં આ મંદિરમાં એક લાખ એક હજાર 264 ઘંટ છે.