શ્રદ્ધાએ નવેમ્બર 2020માં મુંબઈમાં આફતાબ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે કહ્યું કે, આફતાબથી તેના જીવને ખતરો છે. આફતાબ તેના ટુકડા કરવાની ધમકી આપે છે.
જો કાર્યવાહી કરવામાં આવી હોત તો કદાચ શ્રદ્ધાનો જીવ બચી ગયો હોત: ફડણવીસ
શ્રદ્ધા મર્ડર કેસમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યશ્રદ્ધાએ નવેમ્બર 2020માં મુંબઈમાં આફતાબ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે કહ્યું કે, આફતાબથી તેના જીવને ખતરો છે. આફતાબ તેના ટુકડા કરવાની ધમકી આપે છે. મંત્રી અને ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું મોટું નિવેદન આવ્યું છે. ફડણવીસે કહ્યું કે, તેમણે શ્રદ્ધાની ફરિયાદનો પત્ર જોયો છે. તેણે કહ્યું કે તે ખૂબ જ ગંભીર છે. જો આના પર કાર્યવાહી કરવામાં આવી હોત તો કદાચ શ્રદ્ધાનો જીવ બચી ગયો હોત. તેમણે કહ્યું કે, આ પત્ર પર કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવી નહીં તે અંગે તેઓ તપાસ કરશે. મહત્વનું છે કે, શ્રદ્ધાએ નવેમ્બર 2020માં મુંબઈમાં આફતાબ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે કહ્યું કે, આફતાબથી તેના જીવને ખતરો છે. ઉપરાંત શ્રદ્ધાએ કહ્યું હતું કે આફતાબ તેના ટુકડા કરવાની ધમકી આપે છે.
શું કહ્યું દેવેન્દ્ર ફડણવીસે ?
આ પત્રને લઈને દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, મારી પાસે પણ એક પત્ર આવ્યો છે. મેં તેને જોયો છે. તે ખૂબ જ ગંભીર છે કે શા માટે આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આની તપાસ થવી જોઈએ. હું કોઈને દોષ આપવા માંગતો નથી. પરંતુ આવી ફરિયાદ અંગે કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. તેથી તેની તપાસ જરૂરી છે. તેમણે કહ્યું કે, જો પત્ર પર કાર્યવાહી કરવામાં આવી હોત તો શ્રદ્ધાનો જીવ બચી ગયો હોત.
मैंने भी श्रद्धा वालकर का 2020 में लिख़ा हुआ पत्र देख़ा है। उसी समय कार्रवाई क्यों नहीं हुई इसकी जाँच तो करनी ही पड़ेगी।अगर सही समय पर कार्रवाई हुई होती तो शायद जान बच सकती थी।
I saw #ShraddhaWalkar’s 2020 letter to Police. We will investigate why wasn’t timely action taken then. pic.twitter.com/JsaFptP75f
શ્રદ્ધાએ બે વર્ષ પહેલા આફતાબ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોતાની ફરિયાદમાં શ્રદ્ધાએ આફતાબને કહ્યું હતું કે, તેના જીવને ખતરો છે. એટલું જ નહીં શ્રદ્ધાએ દાવો કર્યો કે આફતાબ તેના શરીરના ટુકડા કરવાની ધમકી આપે છે. શ્રદ્ધાએ મુંબઈના તુલિંજ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ કરી હતી. શ્રદ્ધાએ આફતાબ વિરુદ્ધ ફરિયાદમાં કહ્યું હતું કે, તે તેની સાથે મારપીટ કરતો હતો. આજે તેણે મને મારવાનો પ્રયાસ કર્યો હતો. તે મને ધમકી આપે છે કે તે મારા શરીરના ટુકડા કરી દેશે. છેલ્લા 6 મહિનાથી તે મને માર મારી રહ્યો છે. તે મને જાનથી મારી નાખવાની ધમકી આપે છે, તેથી હું પોલીસ પાસે જઈ શકી નહીં. તેના સંબંધીઓ પણ જાણે છે કે તે મને મારતો હતો અને મારી નાખવાની કોશિશ કરતો હતો. શ્રદ્ધાએ આગળ લખ્યું કે, હવે હું તેની સાથે રહેવા માંગતી નથી. તે મને બ્લેકમેઈલ કરે છે, તેથી જો મને કંઈ થશે તો તે તેના માટે જવાબદાર રહેશે. તે મારી સાથે લડે છે.
શું કહ્યું ડીસીપીએ ?
ડીસીપી સુહાસ ભાવચેના જણાવ્યા અનુસાર પોલીસને ફરિયાદ મળ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. પરંતુ પછી શ્રદ્ધાએ કહ્યું કે, તેને કોઈની સાથે કોઈ ફરિયાદ નથી. તેણી તેની ફરિયાદ પાછી ખેંચી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આફતાબના કહેવા પર તે તૈયાર થઈ ગઈ. આ પછી તેણે ફરિયાદ પાછી ખેંચી લેવાનું નક્કી કર્યું અને બંને ફરી સાથે રહેવા લાગ્યા. આ સાથે શ્રદ્ધાના પિતાનો દાવો છે કે, આફતાબ તેને સતત માર મારતો હતો. આફતાબના દબાણમાં જ શ્રદ્ધાએ ફરિયાદ પાછી ખેંચી હશે.