ફડણવીસે કહ્યું કે મને લાગે છે કે સરકારે કંગના કરતા કોરોના પર વધારે ધ્યાન આપવું જોઈએ. તેમણે કહ્યું કે ભાજપ કંગનાનો મુદ્દો ઉઠાવતો નથી.
દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્ર સીએમ ઉદ્ધવ ઠાકરે પર કર્યા પ્રહાર
મહારાષ્ટ્ર સરકારે કંગનાને એક મોટો મુદ્દો બનાવી, તે રાષ્ટ્રીય નેતા નથી: ફડણવીસ
સરકાર કોરોનાની જગ્યાએ કંગના સામે લડવામાં ખર્ચી રહી છે તેની શક્તિ: દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્ર સરકાર અને કંગના રનૌત વચ્ચેની લડત તીવ્ર બની રહી છે. કંગના રનૌત નું કાર્યાલય તોડ્યા બાદ વિરોધી પક્ષના નેતાઓ આ કાર્યવાહીનો જોરદાર વિરોધ કરી રહ્યા છે. ભાજપના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારને લાગે છે કે તેમની લડત કોરોનાવાયરસ સાથે નથી, પરંતુ કંગના સાથે છે, લોકો કોરોનાથી મરી રહ્યા છે. પરંતુ તેઓ તેને લઇને ચિંતિત નથી. હું માનું છું કે જો સરકાર તેની અડધી તાકાત પણ કોરોના સામે લડવામાં ફાળવશે તો આપણે અનેક લોકોનું જીવન બચાવી શકીશું.
સરકારે કોરોના ઉપર આપવું જોઈએ વધુ ધ્યાન: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી
ફડણવીસે કહ્યું કે મને લાગે છે કે સરકારે કંગના કરતા કોરોના પર વધારે ધ્યાન આપવું જોઈએ. તેમણે કહ્યું કે ભાજપ કંગનાનો મુદ્દો ઉઠાવતો નથી. મહારાષ્ટ્ર સરકારે આ મુદ્દો ઉઠાવ્યો, તેનું મકાન તોડી નાખ્યું. નિવેદન આપ્યું કે તેણે મુંબઈ ન આવવું જોઈએ. પરંતુ તેમણે સમજવું જોઈએ કે કંગના કોઈ રાષ્ટ્રીય નેતા નથી.
સરકાર કેમ તોડી નાથી રહી દાઉદ ઇબ્રાહિમનું ઘર: દેવેન્દ્ર ફડણવીસ
કંગનાનું કાર્યાલય તોડવા અંગે પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે સરકાર દાઉદનું ઘર કેમ તોડી રહી નથી અને કંગનાનું ઘર તોડવા જાય છે? ડ્રગ્સ કેસ અંગે ફડણવીસે કહ્યું કે NCB હમણાં આ મામલાની તપાસ કરી રહી છે, આ મામલો કોર્ટમાં છે, તેથી હું આ મુદ્દે વધારે વાત નહીં કરીશ, પરંતુ મને લાગે છે કે આ મામલાને મૂળમાંથી નાબૂદ કરવો જોઈએ.
નોંધનીય છે કે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત સામે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા બદલ ફરિયાદ નોંધાઈ છે. ખરેખર, કંગના રનૌતે બુધવારે ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કરતો એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેને લઈને તેના પર મુખ્યમંત્રી માટે અભદ્ર ભાષા પ્રયોગ કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.