મંગળવારે સવારે મહારાષ્ટ્રના વિરોધ પક્ષના નેતા અચાનક જ તેમના વિરોધી માનવામાં આવતા નેતાને મળવા જતાં રાજકારણમાં કુતૂહલ સર્જાયું હતું
ભાજપના નેતા સવારમાં જ મળવા પહોંચી ગયા
ખડસે છે NCPના નેતા
શરદ પવારે પાર્ટીમાં સ્થાન આપીને તેમનું સન્માન વધાર્યું છે
ભાજપના નેતા સવારમાં જ મળવા પહોંચી ગયા
મહારાષ્ટ્રના ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ તેમના વિરોધી ગણાતા નેતા એકનાથ ખડસેને મળવા માટે તેમના ઘરે જ પહોંચી ગયા હતા. જેના કારણે મહારાષ્ટ્રના રાજકારણનો માહોલ જ બદલાઈ ગયું હતું પણ આ વાતની સંભાવના કોઈને નજર આવી નથી. પરંતુ તેમના ઘરે ગયા પછી તે બંનેની મુલાકાત થઈ શકી નહીં, કારણકે તેઓ હાલ મુંબઈમાં છે. ભાજપનું આ વાત પર કહેવું છે કે ભાજપ સાંસદ ફડણવીસ અને ખડસે બહુ રક્ષા સદભાવના ભેટ માટે ગયા હતા. હાલ ફડણવીસ મહારાષ્ટ્રમાં આવેલ વાવાઝોડાથી થયેલ નુકશાનની સમીક્ષા કરવા માટે જલગાંવ ગયા હતા. અને તેની શરૂઆત તેમણે ખડસેના ઘરેથી જ કરી હતી.
ખડસે છે NCPના નેતા
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને NCPના નેતા ખડસેને એક્બીજાના કટ્ટર વિરોધી માનવામાં આવે છે. આ વાત સમગ્ર રાજકારણીઓ અને રાજ્યની પ્રજા પણ જાણે છે. કારણકે આ બંને નેતાઓ હંમેશા એકબીજા વિરુદ્ધ બોલતા નજર આવ્યા છે અથવા તો હંમેશા એકબીજા પર પૂછાયેલ સવાલના જવાબ ટાળતા નજર આવ્યા છે. આ પહેલા બંને એકસાથે ભાજપમાં રહી ચૂક્યા છે પણ ખડસે નારાજ થઈને NCP માં જોડાઈ ગયા હતા. તે પછી પણ બંને એકબીજા વિરુધ્ધ બોલતા રહ્યા છે.
શરદ પવારે પાર્ટીમાં સ્થાન આપીને તેમનું સન્માન વધાર્યું છે
ભલે આ મુલાકાત એક સામાન્ય માનવામાં આવી રહી હોય પણ રાજકારણી પંડિતો કહે છે કે આ એક પૂર્વ આયોજિત મુલાકાત હોઇ શકે. આ મુલાકાતથી બંને પાર્ટીઓના કાર્યકર્તામાં પણ ઘણા બધા સવાલો ઉદ્ભવી રહ્યા છે. પણ અત્યાર સુધી એકનાથ ખડસે તરફથી કોઈ પણ જાતની પ્રક્રિયા આવી નથી. પણ જ્યારે તેઓ NCPમાં જોડાયા ત્યારે તેમણે કહ્યું કે શરદ પવારે પાર્ટીમાં સ્થાન આપીને તેમનું સન્માન વધાર્યું છે, જે વાત તેઓ કયારેય નહીં ભૂલે.