મુંબઇઃ દેશમાં મોટા ભાગના રાજ્યોમાં રાજ્યમાં સૌથી વધુ વસ્તી ધરાવતી જ્ઞાતિઓ દ્વારા અનામતની માગ કરવામાં આવી રહી છે. ત્યારે આ માગ સરકારના ગળામાં હાડકાની જેમ ફસાઈ છે. એવામાં મોટી વોટબેંકને કબ્જે કરવા માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા નવો દાવ ખેલવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
મરાઠા સમાજની નારાજગી દૂર કરવા માટે મહારાષ્ટ્ર સરકાર મરાઠાઓને અનામત આપી શકે છે. આ માટે ખૂદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવિસે સંકેત આપ્યા છે. ફડનવિસે 1 ડિસેમ્બરે ખૂશ ખબર આપવાની જાહેરાત કરી છે.
તો બીજી તરફ મહારાષ્ટ્રના ઓબીસી આયોગે મરાઠાઓ અંગેનો પોતાના સર્વેનો રિપોર્ટ સરકારને સોપ્યો છે. આ રિપોર્ટ અંતર્ગત મરાઠાઓને અનામત આપી શકાય છે. તેવુ માનવામાં આવી રહ્યુ છે જેને લઈને મરાઠાઓને અનામત આપવા માટે સરકારનો માર્ગ મોકળો બન્યો છે.
મરાઠાઓને મળશે અનામત ?
મરાઠા સમાજને મહારાષ્ટ્રની સૌથી મોટી વોટબેંક માનવામાં આવે છે. મરાઠા સમાજની નારાજગી વચ્ચે મહારાષ્ટ્રમાં ચૂંટણી જીતવી કઠીન છે. ચૂંટણી પહેલા કોઈપણ ભોગે મહારાષ્ટ્ર સરકાર મરાઠાઓને મનાવવાનો પ્રયાસ કરશે.
મરાઠાઓને અનામત આપવા માટે મહારાષ્ટ્ર સરકારે તખ્તો તૈયાર કર્યો છે. મરાઠા સમાજને અનામત મળી શકે કે નહી તે માટે OBC કમિશને સર્વે કર્યો. OBC કમિશનના સર્વે પ્રમાણે મરાઠા સમાજને અનામત આપી શકાય છે.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવિસે પણ મરાઠાઓને અનામત આપવાનો સંકેત આપ્યો છે. ફડણવિસે મરાઠા સમાજને 1 ડિસેમ્બરે ઉજવણીની તૈયારી કરવાનું જણાવ્યું છે. ફડણવિસના સંકેત મુજબ મરાઠા સમાજને 1 ડિસેમ્બરથી અનામત મળી શકે છે.