મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે ભાજપના સાંસદ અનંતકુમાર હેગડેના નિવેદનને લઈને સ્પષ્ટતા કરી છે. ફડણવીસે કહ્યું છે કે મારી પર લગાવાયેલા આરોપ ખોટા છે, મેં કેન્દ્રના રૂપિયાને લઈને કોઈ નિર્ણય 80 કલાકના CM પદ દરમિયાન લીધો નથી.
અનંતકુમાર હેગડેની વાતને લઈને ફડણવીસે કરી સ્પષ્ટતા
કેન્દ્રના રૂ. 40 હજાર કરોડના નિર્ણયને લઈને કરી સ્પષ્ટતા
મારી પર લગાવવામાં આવેલા આ પ્રકારના આરોપ ખોટા છેઃ ફડણવીસ
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે 40 હજાર કરોડ રૂપિયા કેન્દ્રને પાછા આપવાના મુદ્દા પર સ્પષ્ટતા કરી છે. ફડણવીસે કહ્યું કે આ પ્રકારનો કોઈ નિર્ણય મેં સીએમ પદ પર રહેતા સમયે કર્યો ન હતો. આ પ્રકારના દરેક આરોપ ખોટા છે.
#WATCH Former Maharashtra CM & BJP leader Devendra Fadnavis on Ananth K Hegde (BJP) remark, 'Devendra Fadnavis became CM & in 15 hours he moved Rs 40,000 crores back to Centre': No such major policy decision has been taken by me as CM. All such allegations are false. pic.twitter.com/wSEDOMGF4N
અનંતકુમાર હેગડેએ કહ્યું કે તમે બધા જાણો છો કે મહારાષ્ટ્રમાં અમારા વ્યક્તિ (ફડણવીસ) 80 કલાક માટે મુખ્યમંત્રી બન્યા અને ત્યારબાદ તેઓ રાજીનામું આપ્યું. તેઓએ આ નાટક શા માટે કર્યું? શું અમને ખબર ન હતી કે અમારી પાસે બહુમત નથી અને છતાં પણ તેઓ CM બન્યા? દરેક વ્યક્તિ આ પ્રશ્ન પૂછે છે.
BJP leader Ananth K Hegde in Uttara Kannada yesterday: You all know our man in Maharashtra became CM for 80 hours. Then, Fadnavis resigned. Why did he do this drama? Didn't we know that we don't have majority and yet he became CM. This is the question everyone is asking. pic.twitter.com/DsWKV2uJjs
હેગડેએ કહ્યું કે સીએમની પાસે લગભગ 40 હજાર કરોડની કેન્દ્રની રકમ હતી. જો કોંગ્રેસ, એનસીપી અને શિવસેના સત્તામાં આવે તો તે 40 હજાર કરોડનો દુરઉપયોગ કરતા. આ જ કારણ છે કે કેન્દ્ર સરકારના આ રૂપિયાને વિકાસના કામમાં લઈ શકાય નહીં એ માટે આ નાટક કરવામાં આવ્યું હતું.
આ કારણે ફડણવીસ બન્યા હતા 80 કલાકના મુખ્યમંત્રી
તેઓએ કહ્યું કે ભાજપની આ યોજના ઘણા સમયથી હતી. આ માટે નક્કી કર્યું કે એક નાટક થવું જોઈએ. અને આ માટે જ ફડણવીસે CM પદના શપથ લીધા. શપથ લેવા માટે 15 કલાકની અંદર ફડણવીસે 40 હજાર કરોડ રૂપિયાને એ જગ્યાએ પહોંચાડી દીધા જ્યાંથી તે આવ્યા હતા. આ રીતે ફડણવીસે બધા રૂપિયા કેન્દ્ર સરકારને પરત આપ્યા અને બચાવી લીધા હતા.