અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ પ્રભુત્વ જમાવ્યાં બાદ હિન્દુમાં લઘુમતી સમુદાય અને શિખ સમુદાયના લોકો ખૂબ જ દહેશત સ્થિતિમાં જીવી રહ્યાં છે. તેઓ પોતાનો જીવ બચાવીને ભારતમાં શરણ લઈ રહ્યાં છે. જેમાંથી અમુક લોકો કાબુલમાંથી નવી દિલ્હી સુધીનો પ્રવાસ ખેડવામાં સફળ થયા છે.
અફઘાનિસ્તાનમાંથી હિન્દુ અને શીખ સમુદાયનું પલાયન
કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ કર્યુ ટ્વિટ
CAAમાં સુધારો કરવાનું આ જ હતુ કારણ
CAAમાં સુધારો કરવાનું આ જ હતુ કારણ
રવિવારે ભારતીય વાયુસેનાનું વિશેષ વિમાન કાબુલમાંથી 168 લોકોને લઈને ગાજિયાબાદના હિન્ડન એરફોર્સ પહોંચ્યાં બાદ કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે, અફઘાનિસ્તાન સંકટ તરફ ઈશારો કરી કહ્યું કે નાગરિક સંશોધન કાયદા (CAA)માં સુધારો કરવાનું આ જ કારણ છે.
કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ કર્યુ ટ્વિટ
તેમણે એક ન્યૂઝ આર્ટીકલને શેર કરી ટ્વિટ કર્યુ, તાજેતરમાં અફઘાનિસ્તાનમાં જે રીતે શિખ અને હિન્દુ દહેશતભર્યુ જીવન જીવી રહ્યાં છે. નાગરિકતા સંશોધન અધિનિયમને લાગુ કરવાનું આ જ કારણ જરૂરી હતુ. ડિસેમ્બર 2019માં બનેલા આ કાયદામાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં અત્યાચાર હેઠળ જીવી રહેલા હિન્દુ, શિખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકોને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ છે. મુસ્લિમ સમુદાય પ્રત્યે ભેદભાવનો આરોપ લગાવીને આ કાયદાની વિરુદ્ધમાં દેશમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
Recent developments in our volatile neighbourhood & the way Sikhs & Hindus are going through a harrowing time are precisely why it was necessary to enact the Citizenship Amendment Act.#CAA#Sikhs
અફઘાનિસ્તાન હવે આતંકવાદનાં ઓછાયા હેઠળ છે, ખૂંખાર તાલિબાનીઓ માનવતાના સૌથી મોટા દુશ્મન છે તે હવે દેશ પર રાજ કરવા જઈ રહ્યા છે. આખા અફઘાનિસ્તાનમાં તબાહીનાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોકો પોતાના જીવ બચાવવા માટે પ્લેનનાં પૈડાંમાં લટકી જવા મજબૂર છે ત્યારે તાલિબાનીઓ હવે ભારતના દૂતાવાસને પણ છોડી નથી રહ્યા.
ભારતે કેટલાક લોકોને કર્યા રેસ્ક્યૂ
આજે 168 લોકોને લઈને ભારતીય વાયુસેનાનું વિમાન રવિવારે સવારે હિંડન એરબેઝ પહોંચ્યું હતું જેમાં 107 ભારતીયો અને બાકીના અફઘાનિસ્તાનમાંથી નાગરિકો ભારત આવ્યા છે. એવામાં ભારતના એરપોર્ટ પર ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. તાલિબાનનાં આતંકમાંથી બચીને આવેલ લોકો પોતાની આપવીતી જણાવતા રડી પડ્યા હતા.
મોતનાં મુખમાંથી માદરે વતન આવ્યા કેટલાક લોકો
એક તરફ જ્યાં દેશ આજે રક્ષાબંધનનો તહેવાર ઉજવી રહ્યો છે ત્યાં બીજી તરફ અફઘાનિસ્તાનમાં ફસાયેલા લોકોને ભારતની વાયુસેના દિલ્હી લઈને આવી છે. ભારત સિવાય અફઘાની લોકો પણ ભારતમાં આવ્યા છે ત્યારે એરપોર્ટથી ઘણી ભાવુક તસવીરો સામે આવી રહી છે. ત્યારે રક્ષાબંધન પર આંખો ભીની થઈ જાય તેવો એક વીડિયો સામે આવ્યો છે.
પ્રધાનમંત્રીએ દેશવાપસીનો આપ્યો છે આદેશ
નોંધનીય છે કે પ્રધાનમંત્રી મોદીએ અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત પાછા લાવવા માટે આદેશ આપેલા છે. એવામાં કાબુલથી ભારતીયો સહિત મુશ્કેલીમાં ફસાયેલા શીખો અને સ્થાનિક અફઘાનીઓને પણ પરત લાવવામાં આવી રહ્યા છે.
અફઘાનિસ્તાનમાંથી પરત આવતા લોકોને અપાઈ પોલિયોની વેક્સિન
અફઘાનિસ્તાનમાંથી ભારત આવી રહેલા લોકોને દિલ્હીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પોલિયોની વેક્સિન લગાવવામાં આવી રહી છે. આ માહિતી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જાતે ટ્વિટ કરી આપી છે. મનસુખ માંડવિયાએ ટ્વિટર પર માહિતી આપી છે કે અફઘાનિસ્તાનમાંથી પરત આવી રહેલા લોકોને વાઈલ્ડ પોલિયો વાયરસથી બચાવવા માટે ઉપાડવામાં આવેલા સુરક્ષાત્મક પગલાના રૂપમાં પોલિયો વેક્સિન-ઓપીવી અને એફઆઈપીવી લગાવવામાં આવી રહી છે.