પેંગોંગ લેક વિસ્તારમાં જ્યાં ચીની સૈનિકોના ઘૂસણખોરીના પ્રયાસો કર્યો હતો ત્યાં જલ્દી એક એરપોર્ટ બનાવવાની મંજૂરી મળી છે.
પેંગોંગ લેક પર બનશે એરપોર્ટ
એલએસીની પાસે ત્રણ ડર્ઝનથી વધારે હેલીપેડ
વાયુસેના હિસામે સૌથી મજબૂત કરવાની યોજના
પેંગોંગ લેક પર બનશે એરપોર્ટ
હવે ચીન અને પાકિસ્તાન જેવા દુશ્મન દેશો લેહ- લદ્દાખના વિસ્તારમાં પોતાની નજર નહીં બગાડી શકે. ભારતે સુરક્ષાની દ્રષ્ટિએ લેહ અને લદ્દાખની હવાઈ સીમાને વધારે સુરક્ષિત કરી દીધી છે. જેમાં પેંગોંગ લેક વિસ્તારમાં ચીની સૈનિકોના ઘૂસણખોરીના પ્રયાસો કર્યા હતા ત્યાં જલ્દી એક એરપોર્ટ બનાવવાની મંજૂરી મળી છે આ ઉપરાંત કેન્દ્ર સરકાર લેહ લદ્દાખ વિસ્તારમાં વધુ ત્રણ નવા એરપોર્ટ બનાવવા જઈ રહી છે. જ્યારે એલએસીની પાસે ત્રણ ડર્ઝનથી વધારે હેલીપેડ બનાવવામાં આવશે. જ્યાં સીમા પર ચિનૂકના માધ્યમથી નજર રાખવામાં આવશે. હાલ લેહમાં ફક્ત એક એરપોર્ટ છે.
વાયુસેના હિસામે સૌથી મજબૂત કરવાની યોજના
સૂત્રોના જણાવ્યાનુસાર નરેન્દ્ર મોદી અને રક્ષા મંત્રી રાજનાથ સિંહના લદ્દાખ પ્રવાસ દરમિયાન આ વાત પર સહમતિ બની હતી કે આ વિસ્તારને સેન્ય દ્રષ્ટિકોણથી વધારે મજબૂત કરી શકાશે. ભૌગોલિક દ્રષ્ટિકોણથી સમગ્ર વિસ્તારમાં વાયુ સેનાના માધ્યમથી સૌથી મજબૂતી આપવામાં આવશે. એટલા મેટ આ વિસ્તારમાં વાયુસેના હિસામે સૌથી મજબૂત કરવાની યોજના છે.
ત્રણ નવા એરપોર્ટ બનાવવની મંજૂરી મળી
સૂત્રો મુજબ પેંગોંગ લેકની પાસે ચાંગટાંગ વિસ્તારમાં એક નવું એરપોર્ટ બનાવવાની મંજૂરી મળી છે. આ ઉપરાંત લેહ લદ્દાખે અલગ અલગ વિસ્તારમાં ત્રણ નવા એરપોર્ટ બનાવવની મંજૂરી મળી છે . લદ્દાખ કેન્દ્ર શાસિત રાજ્ય બન્યા બાદ સ્થાનિક પ્રશાસને સુરક્ષિત સીમા અને સારા પ્રવાસનના હેતુથી અનેક પ્રસ્તાવ મુક્યા છે. જ્યાકે સ્થાનિય સાંસદ જામયાંગ સેરિંગ નામગ્યાલે પણ અનેક પ્રસ્તાવ ન ફક્ત સ્થાનીય પ્રશાસન બલ્કે કેન્દ્ર સરકારને પણ આપ્યા છે.
એલએસીની પાસે 37 હેલીપેડ પણ તૈયાર કરાશે
સૂત્રોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં ન ફક્ત 4 નવા એરપોર્ટ બનાવવામાં આવશે બલ્કે એલએસીની પાસે 37 હેલીપેડ પણ તૈયાર કરાશે. આ હેલીપેડ ચિનૂક હેલિકોપ્ટરોના લેન્ડિંગના હિસાબે તૈયાર કરવામાં આવશે. જેથી ઈમરજન્સીમાં તે કામમાં આવે. તેમજ સમગ્ર વિસ્તારને ચિન્હીત કરવામાં આવશે. જ્યા ક્રમબદ્ધ રીતે સેના તૈનાત કરાશે. જેથી દુશ્મન પર નજર રાખી શકાય.
લેહ લદ્દાખ વિસ્તારને વધારે મજબૂતી મળશે
બ્રિગેડિયર હરબંસના જણાવ્યાનુસાર ભૌગોલિક દ્રષ્ટિકોણથી આ વિસ્તારમાં હવાઈ સેનાના માઘ્યમથી સૌથી સારી રીતે નજર રાખી શકાય છે. આ હેતુથી પોતાની શક્તિઓને ઓળખી તેને વધારે મજબૂત કરવી જોઈ. ચંદીગઢ એરબેસથી રિટાયર્ડ વાયુ સેનાના વિંગ કમાન્ડર ઓપી શર્મા કહે છે કે સેન્ય દ્રષ્ટિકોણથી આ નિર્ણય ખૂબ મહત્વનો છે. હાલ લેહ લદ્દાખના વિસ્તારમાં ચંદીગઢ એરબેઝથી વધારે ઓપરેશન એક્ટિવિટીઝ થાય છે. નવી સંસ્થાઓ અને સુવિધાઓની શરુઆત થવા પર લેહ લદ્દાખ વિસ્તારને વધારે મજબૂતી મળશે.