ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડામાં કહ્યું છે કે રેવડી કલ્ચરથી વિકાસ ન થઈ શકે, તેના માટે નાણાકીય વ્યવસ્થાપન જરૂરી છે.
CM ભૂપેન્દ્ર પટેલનો આડકતરો પ્રહાર
રેવડી કલ્ચરને લઇ પ્રહાર
'રેવડી કલ્ચરથી વિકાસ શક્ય નથી'
ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ખેડા જિલ્લાના પ્રવાસે હતા જ્યાં તેમણે કુલ 94 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. સાથે સાથે ઉજ્જવલા યોજના, પીએમ આવાસ યોજના, પીએમ જનઆરોગ્ય યોજના સહિતની વિવિધ યોજનાઓના લાભોનું લાભાર્થીઓને વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ વિપક્ષીઓ પર પ્રહાર પણ કર્યા હતા.
ખેડામાં સંબોધન દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે વિકાસની રાજનીતિ અને વિકાસનો પાયો નાંખનાર વિઝનરી લીડરના કારણે આજે ગુજરત આખા દેશનું ગ્રોથ એન્જિન બની ગયું છે. ગુજરાતમાં તાલુકા અને જિલ્લાના નાનામાં નાના છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યો છે.
ગુજરાતે કોરોના બાદ દેશનું સૌથી મોટું બજેટ આપ્યું- CM
CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે કોરોના મહામારીમાં મોટા મોટા દેશોએ તેમની પ્રજાને છોડી દીધી હતી પરંતુ PM મોદીએ મફત વેક્સિનના મારફતે લોકોને બચાવ્યા, ધંધા રોજગાર બંધ હતા ત્યારે ફ્રી રૅશનની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિકાસ ત્યારે જ થઈ શકે જ્યારે નાણાકીય વ્યવસ્થાપન વ્યવસ્થિત હોય. કોરોના બાદ ગુજરાતે સૌથી મોટું બજેટ અત્યાર સુધીનું આપ્યું છે જેમાં આખા દેશમાં નીતિ આયોગ પ્રમાણે નાણાકીય વ્યવસ્થાપનમાં આપણે નંબર વન પર છીએ.
રેવડી કલચરથી વિકાસ ન થઈ શકે- CM
CM ભૂપેન્દ્ર પટેલે આડકતરી રીતે વિપક્ષ પર પ્રહાર કર્યો હતો, તેમણે કહ્યું કે વિકાસ નાણાકીય વ્યવસ્થાપન થઈ શકે, રેવડી કલ્ચરથી વિકાસ ન થઈ શકે.