અંતે મયુરસિંહ રાણા પર હુમલાના 10 દિવસ બાદ દેવાયત ખવડ પોલીસ સમક્ષ હાજર થઇ ગયો છે. આવતીકાલે તેની જામીન અરજી પર કોર્ટમાં સુનાવણી.
10 દિવસ બાદ દેવાયત ખવડનું પોલીસ સમક્ષ સરેન્ડર
મયુરસિંહ રાણાને જાહેરમાં ઢોર માર માર્યા બાદથી હતો ફરાર
આવતીકાલે કોર્ટમાં જામીન અરજી પર થશે સુનાવણી
લોક સાહિત્યકાર દેવાયત ખવડે 10 દિવસ બાદ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું. મયુરસિંહ રાણાને જાહેરમાં ઢોર માર માર્યા બાદથી દેવાયત ખવડ ફરાર હતો. મહત્વનું છે કે, આવતીકાલે ખવડની જામીન અરજી પર સુનાવણી થશે.
જાણો શું છે સમગ્ર મામલો
લૉકસાહિત્યકાર ખવડે 12 તારીખે યુવક પર એક સાગરીતની સાથે કર્યો હતો હુમલો, પીડિતનું નામ મયુરસિંહ રાણા
સર્વેશ્વર એપાર્ટમેન્ટ નજીક હુમલો કરતાં ઘટના કેમેરામાં થઈ કેદ
પોલીસે ગુનો નોંધી તેને પકડવા તપાસ હાથ ધરી તો થયો અંડરગ્રાઉન્ડ, રાજકોટમાં ઘરમાં મારી દીધા તાળાં, વતન દૂધઈમાં પણ થઈ તપાસ પણ ત્યાં કોઈ મળ્યું નહીં
ખવડે પોલીસથી બચવા કરી નાંખી આગોતરા જામીન અરજી
દેવાયત ખવડ સતત પોલીસની પકડથી દૂર હોવાથી ક્ષત્રિય સમાજના આગેવાનો આગળ આવ્યા અને વિરોધ કર્યો, પોલીસ પર જ કર્યો સાંઠગાંઠનો આરોપ
પોલીસે કહ્યું તેની સાથે જોડાયેલા તમામના નિવેદન લીધા, સોશ્યલ મીડિયા અને મોબાઈલ પર અમારી નજર છે, તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે
15 તારીખે આગોતરા જામીન અરજી પર સુનાવણી હતી પણ તે 17 સુધી ટળી
મયુરસિંહ રાણાના પરિવારે PMO સુધી ફરિયાદ કરી અને કાર્યવાહીની કરી માંગ
આવતીકાલે સુનાવણી થશે: પોલીસે આજે સોગંધનામું આપ્યું કે દેવાયતને જામીન ન આપવા કારણ કે 2015માં ચોટીલામાં મારામારી અને 2017માં સુરેન્દ્રનગરમાં આર્મ્સ એક્ટ હેઠળ પણ ગુનો નોંધાયો છે