આ વર્ષે કારતક સુદ એકાદશી દેવ ઊઠી એકાદશી ભાગીતિથિ હોવાથી શુક્રવારે મનાવાશે. એકાદશીનો પ્રારંભ ગુરુવારે (આવતી કાલે) સવારે ૯.પ૬ કલાકે થતો હોવાથી પ્રબોધિની એકાદશી અને ભીષ્મ પંચક વ્રતનો પ્રારંભ ગુરુવારે થશે, જ્યારે તુલસી વિવાહ વૈષ્ણવ હવેલીઓમાં યોજાશે. આવતી કાલથી શુભ મુહૂર્તનો પ્રારંભ થઈ જશે.
લગ્નનું પ્રથમ મુહૂર્ત ર૦મીએ છેલ્લું મુહૂર્ત 12 ડિસેમ્બરે
તુલસી વિવાહ સહિતનાં મંગળ કાર્યોનો પ્રારંભ
એકાદશી અને ભીષ્મ પંચક વ્રતનો પ્રારંભ
દેવ ઊઠી એકાદશીએ ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં નિદ્રામાંથી જાગે છે. ત્યારબાદ જગતના નાથનાં લગ્ન અને ગૃહપ્રવેશ જેવાં લૌકિક કાર્યોનો પ્રારંભ થાય છે. આથી આ વર્ષે એકાદશી ભાગીતિથિ છે. પ્રબોધિની એકાદશીનું વ્રત કાલે થશે, જ્યારે તુલસી વિવાહ સહિતનાં મંગળ કાર્યોનો પ્રારંભ ઉદયાતિથિ પ્રમાણે થશે.
એકાદશી પણ બે ગુરુના સ્વામીત્વના પૂર્વાભાદ્રપદા નક્ષત્રમાં પ્રારંભ થશે પ્રબોધિની એકાદશીએ ભગવાન વિષ્ણુએ યોગનિદ્રામાંથી જાગ્યા બાદ દેવતાઓને બોધ આપ્યો હતો. આથી આ એકાદશીને પ્રબોધિની એકાદશી તરીકે શાસ્ત્રમાં વર્ણવી છે.
આ વર્ષે એકાદશી બાદ લગ્નનું પ્રથમ મુહૂર્ત ર૦ નવેમ્બરે આવે છે, જ્યારે આ વર્ષે ગ્રહણ ભારતમાં ગત વર્ષ કરતાં વધારે દેખાવાનાં છે, તેની સાથે હોળાષ્ટક અને મીનારક પણ અલગ અલગ હોવાથી નવા વર્ષમાં લગ્નના સીધા આઠ દિવસ ઓછા થાય છે. લગ્નનું પ્રથમ મુહૂર્ત ર૦મીએ છેલ્લું મુહૂર્ત ૧ર ડિસેમ્બરે. ત્યારબાદ ધનારક આવે છે. ત્યારબાદ મકરસંક્રાંતિ બાદ ૧૮ જાન્યુઆરીથી ૩ માર્ચ સુધી મુહૂર્ત છે, પછી હોળાષ્ટક અને ૧૪ માર્ચથી મીનારક છે, જ્યારે લગ્નનું છેલ્લું મુહૂર્ત ૩૦ જૂન અષાઢ સુદ દસમ છે.