દેવઉઠી અગિયારસ આ વખતે 14 નવેમ્બરે રવિવારે છે. આ દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે જ્યોતિષમાં કેટલાંક મહત્વના ઉપાય જણાવવામાં આવ્યાં છે. આ ઉપાય કરવાથી તમારા ગ્રહો મજબુત નહીં થાય. પરંતુ ભગવાન વિષ્ણુની કૃપાદ્રષ્ટિથી તમારા બગડેલા કામ સુધરી જશે.
ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે કરો આ મહત્વના ઉપાય
ભગવાન વિષ્ણુની કૃપાદ્રષ્ટિથી તમારા બગડેલા કામ સુધરી જશે
દેવઉઠી અગિયારસના દિવસે સિદ્ધી મેળવવા માટે કરો આ ઉપાય
આ દિવસે પૂજા અને વ્રત સિવાય શાસ્ત્રોક્ત વિધાન અનુસાર તુલસીજીનો વિવાહ કરવાથી ભગવાન વિષ્ણુનો વિશેષ આશીર્વાદ મળે છે.
આ કામ આવશ્ય કરો
દેવઉઠી અગિયારસના દિવસે તુલસીની પાસે રંગોળી બનાવી દીવો પ્રગટાવો. ત્યારબાદ તુલસી મંત્ર અને વિષ્ણુ ભગવાનના મંત્રજાપ કરો. જો તમે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ પણ 108 વખત કરો છો તો પણ તમને દરેક મુશ્કેલીમાંથી મુક્તિ મળશે.
દેવઉઠી અગિયારસના દિવસે ગાયત્રી મંત્રનો જાપ કરવાથી આરોગ્યમાં લાભ થાય છે. જો નાણાંની જરૂરીયાત હોય તો ભગવાન વિષ્ણુને દૂધમાં કેસર મિલાવી તેનાથી ભગવાનને સ્નાન કરાવુ. જેનાથી તમારા ઘરમાં લક્ષ્મીનું આગમન જાતે થશે.
જે લોકોને સંતાનસુખ પ્રાપ્ત થયુ નથી. તેઓ આ દિવસે નારાયણની સામે ઘીનો દીવો પ્રગટાવી સંતાન ગોપાલનો 108 વખત પાઠ કરવો જોઈએ. જેનાથી તેમના ઘરમાં ટૂંક સમયમાં બાળકોની ચિચયારિઓ સાંભળવા મળશે.
એકાદશીના દિવસે પીળા રંગના કપડાં, પીળા ફળ અને પીળા અનાજ વિષ્ણુજીને અર્પણ કરો. ત્યારબાદ આ બધી વસ્તુઓ ગરીબ અને જરૂરીયાતમંદોને દાનમાં આપી દો. જેનાથી ભગવાન વિષ્ણુની કૃપાદ્રષ્ટિ તમારી પર રહેશે.
દેવઉઠી અગિયારસના દિવસે પીપડાંના વૃક્ષની પૂજા કરવાનુ વિશેષ મહત્વ છે. જો પીપડાના વૃક્ષની પાસે દીવો પ્રગટાવો અને પીપડાના વૃક્ષમાં જળ અર્પણ કરશો તો તમે તાત્કાલિક દેવામાંથી મુક્ત થઇ શકશો.