કારતક મહીનાનાં શુક્લ પક્ષની એકાદશીનું ખૂબ મહત્વ હોય છે. આ એકાદશીને "દેવઉઠી એકાદશી" પણ કહેવામાં આવે છે. આ દેવઉઠી એકાદશીને દેવોત્થાન એકાદશી દેવ ઉઠની અગિયારસ પ્રબોધિની એકાદશી જેવાં અનેક નામોથી ઓળખવામાં આવે છે.
એવી માન્યતા છે કે ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં 4 મહીનાની નિંદ્રા બાદ તેઓ જાગે છે. કારતક માસની એકાદશીનાં દિવસે જ ભગવાન વિષ્ણુ જાગે છે. તેઓનાં જાગ્યાં બાદ દરેક પ્રકારનાં શુભ અને માંગલિક કાર્યની ફરી વાર શરૂઆત કરી શકાય છે.
હકીકતમાં અષાઢ માસનાં શુક્લ પક્ષની આ એકાદશીએ ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં સૂવા માટે ચાલ્યા જાય છે. જેને દેવશયની એકાદશી કહેવાય છે. આ દરમ્યાન કોઇ પણ શુભ અને માંગલિક કાર્ય ના કરી શકાય. આ ચાર મહીનામાં સંપૂર્ણ સૃષ્ટિની જવાબદારી ભગવાન શંકર સાથે અન્ય દેવી-દેવતાઓનાં ખભે આવી જાય છે.
દેવી-દેવતાઓ મનાવે છે દિવાળીઃ
દેવઉઠી એકાદશીનાં દિવસે ભગવાન વિષ્ણુનાં જાગવાની સાથે સાથે દરેક પ્રકારનાં માંગલિક અને શુભ કાર્યોની શરૂઆત થાય છે. આની ખુશીમાં દરેક દેવી-દેવતાઓ પૃથ્વી પર એકસાથે આવીને દેવદિવાળી મનાવે છે કે જેનું ખૂબ મહત્વ હોય છે.
આ વખતે દેવોત્થાન એકાદશી 19 નવેમ્બરનાં રોજ મનાવવામાં આવશે. દિવાળીનાં દિવસે ભગવાન વિષ્ણુ નિંદ્રામાં લીન હોય છે. જેથી લક્ષ્મીની પૂજા તેઓનાં વગર અધૂરી રહે છે. માન્યતા એવી છે કે દેવઉઠી અગિયારસનાં રોજ ભગવાન વિષ્ણુનાં જાગ્યા બાદ દરેક દેવોએ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની આરતી ઉતારી. જેથી આને દેવદિવાળી કહેવાય છે.
તુલસી-શાલીગ્રામ વિવાહઃ
દેવઉઠી એકાદશીનાં દિવસે તુલસી અને ભગવાન શાલિગ્રામનાં વિવાહનું આયોજન કરવામાં આવે છે. ભગવાનને તુલસી ખૂબ પ્રિય હોય છે. તુલસીએ પતિનો સાથ ન આપીને ભગવાન વિષ્ણુનો સાથ આપ્યો. વિષ્ણુની સાથે હાસ-પરિહાસ પણ તેઓનાં અસુરપતિને હાર અપાવી શકતી હતી.
જેઓએ પરિહાસ કર્યો. જ્યારે તે તેઓની સાથે ભસ્મ થઇ ગઇ તો કહેવાય છે કે તેઓનાં શરીરની ભસ્મથી તુલસીનો છોડ બન્યો. આ છોડ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય હોય છે. દરેક ભોગને તે તુલસી પત્ર સાથે સ્વીકાર કરે છે.