બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / ભાવનગરમાં સાંઈબાબાનું મંદિર, ભક્તોને દ્વાદશ જ્યોતિર્લિંગની સાથે થાય છે શનિદેવના દર્શન
Last Updated: 07:24 AM, 24 April 2025
ભાવનગર શહેરની મધ્યમાં 44 વર્ષ પહેલા સાંઈબાબાનું મંદિર બનાવવામાં આવ્યું હતું. જે આજે ધાર્મિકતાની સાથે સામાજિક સેવાના ક્ષેત્રે પણ આગવું નામ ધરાવે છે. મંદિર પરિસરમાં સાંઈબાબા ના મંદિરની સાથે દ્વાદશ જ્યોતિર્લિંગ અને શનિદેવ મહારાજનું મંદિર પણ આવેલું છે. મંદિરે આવતા ભકતજનો સાંઈબાબામાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. ભાવનગર શહેરમાં 44 વર્ષ પહેલા મેઘાણી સર્કલ વિસ્તારમાં સાંઈભક્તો અને દાતાઓના સહકારથી સાંઈબાબાના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં નાના મંદિર બાદ આજે વિશાળ શિખરબદ્ધ મંદિર બન્યું છે. સમય જતાં ભક્તોનો સહયોગ અવરિત ચાલુ રહેતા મંદિર પરિસરમાં સાંઈબાબાના મંદિરની સાથે શનિદેવનું મંદિર અને દ્વાદશ જ્યોતિર્લિંગ તેમજ અન્ય મંદિરોના નિર્માણ કરવામાં આવ્યા છે. ભાવનગરવાસીઓ સાંઈ મંદિરે અતૂટ શ્રદ્ધા ધરાવે છે.
ADVERTISEMENT
ભાવનગર શહેરની મધ્યમાં સાંઈબાબાનું મંદિર
ADVERTISEMENT
એક સમયે મંદિર શહેર થી દુર હતું. જેમજેમ શહેરનો વિકાસ થતો ગયો તેમ મંદિર હાલ શહેરની મધ્યમાં આવી ગયુ છે. સાંઈબાબાનુ મંદિર તેની ભવ્યતા અને દિવ્યતાના કારણે જાણીતું બન્યું છે. ભાવનગરના આ મંદિરમાં શિરડીમાં આવેલા સાંઈબાબાની પ્રતિમા જેવી જ વિશાળ પ્રતિમાનુ સ્થાપન ભવ્ય સિહાસન પર કરવામાં આવ્યુ છે.
ભાવનગર શહેરમાં આવેલા આ સાંઈબાબાના મંદિરની સાથે મંદિરમાં બનાવવામાં આવેલા દ્વાદશ જ્યોતિર્લિંગ, જે એક જ જગ્યા દેશના બાર જ્યોતિર્લિંગના દર્શન ભકતજનો એક સાથે કરી શકે છે. મંદિરે શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં ભકતજનો મહાદેવના દર્શન કરવા આવે છે અને ધન્ય થાય છે. મંદિર પરિસરમાં શનિદેવ મહાદેવના મંદિરે શની જયંતિ તેમજ અન્ય દિવસોમાં પણ મોટી સંખ્યામાં ભકતજનો આવે છે અને શની પૂજા કરી ધન્યતા અનુભવે છે.
વધુ વાંચો: હંમેશા રૂપિયાથી ભરેલી રહેશે ઘરની તિજોરી! દરરોજ સવારે ઉઠીને કરો આ 7 મંત્રોનો જાપ
આસ્થાનો ધોધ, સેવાની સરવાણી
ભાવનગરમાં આવેલા સાંઈબાબાના મંદિરે દર ગુરૂવારે સાંજે દર્શન માટે આવતા ભકતજનોને કઢી ખીચડીનો પ્રસાદ આપવામાં આવે છે. દર ગુરૂવારે ૨ થી ૩ હજાર લોકો કઢી ખીચડીના પ્રસાદનો લ્હાવો લે છે. મંદિરે ભક્તિ તો થાય છે જ સાથે સાંઇ સમાજ સેવા ટ્રસ્ટ મધ્યમ વર્ગના લોકોને માત્ર 10 રૂપિયામાં ભોજન પણ આપે છે. જેનો લાભ મોટી સંખ્યામાં લોકો લઈ રહ્યા છે. મંદિર પરિસરમાં સાંઈબાબાની એક વિશાળ મુર્તિ છે જેને સમયાંતરે ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર પ્રસાર કરવા માટે ફેરવવામાં આવે છે. ભાવનગરનું એક ગ્રુપ છેલ્લા 20 વર્ષથી ભાવનગરથી શિરડી પગપાળા સંઘ લઇને જાય છે અને સાંઈબાબામાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. સાંઈબાબાના મંદિર ખાતે સાંઈબાબાના પાટોત્સવનો તહેવાર તેમજ રામનવમી, શ્રાવણ માસ અને અન્ય તહેવારો તેમજ ધાર્મિક કાર્યક્રમો ઉત્સાહ ભેર ઉજવવામાં આવે છે. મંદિરે નિયમિત દર્શને આવતા ભકતજનોની સાંઈબાબામાં અતૂટ શ્રદ્ધા છે એટલે તેમના પોતાના જીવનમાં આવેલા સુખ,શાંતિ અને સમૃદ્ધિને સાંઈબાબાના આશીર્વાદ ગણાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.