બાળકના જીવનમાં જો કોઈ સૌથી મહત્વના વ્યક્તિ હોય તો તે છે કે એક તો મા અને બીજો શિક્ષક...મા તો બાળકનું જતન સારી રીતે થાય તેવા પ્રયત્ન કરે છે ..પરંતુ શિક્ષક પર અવારનવાર આરોપ લાગતા હોય છે તેની કામગીરીને લઈને...વાત કરીએ તાજેતરની જ તો શિક્ષણમંત્રીએ પણ શિક્ષકોની કામગીરી સામે પોતાનો બળાપો કાઢ્યો અને વિદ્યાર્થીઓના ઓછા પરિણામ માટે શિક્ષકોને જવાબદાર ઠેરવ્યા..પણ અહીં શિક્ષકો જ દર વખતે જવાબદાર નથી હોતા..એટલા માટે કેમ કે શિક્ષકો પાસે સરકાર બાળકોને ભણાવા સિવાયના 100 અલગ અલગ કામો કરાવે છે..પછી થાય છે એવું કે જ્યારે વાત બાળકોના ભણતરની આવે છે ત્યારે સરકાર શિક્ષકોને જવાબદાર ઠેરવે છે અને શિક્ષકો પોતાને સરકાર દ્વારા સોપવામાં આવેલી ઈત્તર પ્રવૃત્તિને ઢાલ બનાવે છે...આ સિલસિલો વર્ષોથી ગુજરાતના શિક્ષણ જગતમાં તો ચાલતો જ આવ્યો છે..ત્યારે અહી સવાલ એ છે કે આ એકબીજાને ખો આપવાની પ્રણાલી બંધ થશે ખરી? શું સરકાર શિક્ષકોને સોપાતી ઈત્તર પ્રવૃતિઓ બંધ ન કરી શકે? શું શિક્ષકોને સોપાતી પ્રવૃતિ અન્ય કર્મચારીઓને ન સોપાઈ શકે? શું સરકારને બાળકોના ભવિષ્યની ચિંતા નથી? શા માટે શિક્ષકોને અન્ય પ્રવૃતિમાં વ્યસ્ત રાખવામાં આવે છે ? આ જ તમામ બાબતો પર છે આજનું મહામંથન