ગાંધીનગરમાં એક બાજુ વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા યુવા સ્વાભિમાન સંમેલનનું આયોજન ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ઉપર કરવામાં આવ્યું છે.
યુથ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત
સ્વાભિમાન સંમેલનમાં પહોંચે તે પહેલા જ અટકાયત
હમ લડેંગે ,ઝુકેગે નહીં:જગદીશ ઠાકોર
જોકે તંત્ર દ્વારા આ સંમેલનને કોઈ મંજૂરી આપવામાં આવી નથી. જેના પગલે પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવાનું નક્કી કર્યું હતું. અને આ માટે શહેરમાં પ્રવેશતા માર્ગો ઉપર સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, દરમિયાન ગાંધીનગરમાં યુથ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ, જીજ્ઞેશ મેવાણી સહિત કોંગ્રેસી કાર્યકરોને યુવા સ્વાભિમાન સંમેલનમાં પહોંચે તે પહેલા જ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. મહત્વનું છે કે, કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમ માટે પોલીસ પાસેથી કોઈ મંજૂર લેવામાં નથી આવી જેને લઈને પોલીસે ઠેરઠેર કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.
ગાંધીનગરમાં બેરોજગારી-શિક્ષણ મુદ્દે કોંગ્રેસની યુવા સ્વાભિમાન રેલી દરમ્યાન નેતાઓ-કાર્યકર્તાઓની અટકાયત, પોલીસે કહ્યું રેલીની મંજૂરી અપાઈ ન હતી. હાર્દિક પટેલ અને જગદીશ ઠાકોરે કહ્યું હમ લડેંગે, હમ ઝૂકેંગે નહીં@INCIndia@INCGujarat@HardikPatel_pic.twitter.com/6d2HFQBjDq
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 28, 2022
સ્વાભિમાન સંમેલનને લઇને જગદીશ ઠાકોરનું નિવેદન
યુથ કોંગ્રેસના સ્વાભિમાન સંમેલન સભા પહોંચેલા કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું હતું કે, સ્વાભિમાન સંમેલન પર કોંગ્રેસ અડગ રહેશે. અમે આ મુદ્દે વિધાનસભામાં વિરોધ કરીશું. તેમણે વધુમાં જણાવ્યું કે, સરકાર અમારાથી ડરી રહી છે. જેને લઈને હમ લડેંગે ,ઝુકેગે નહીં. સરકાર ભ્રષ્ટાચારીઓને બચાવવા પ્રયાસ કરી રહી છે.
ગાંધીનગરમાં કોંગ્રેસનું વધુ એક આંદોલન
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીઓ પહેલા પ્રદેશ કોંગ્રેસ એક્શન મોડમાં આવી ચૂકી છે.કોંગ્રેસના અગ્રણી નેતાઓએ યુવાઓને સત્યાગ્રહ છાવણી પહોંચવા આહ્વાન કર્યું છે,ત્યારે આજે ગાંધીનગર ખાતે યુવા,સ્વાભિમાન સંમેલનમમાં બેજરોજગારી, યુવા,શિક્ષણ સહિત મુદ્દે વિરોધ નોધાવ્યો હતો.જો કે, યુવા કોંગ્રેસના નેતાઓ પોતાનો વિરોધ પ્રદર્શન કરે તે પહેલા ગાંધીનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. અને કોંગ્રેસના કાર્યકર પહોંચે તે પહેલા જ અટકાયત કરવામાં આવી હતી.