આમ આદમી પાર્ટીની સભામાં પોતાના જ કાર્યકરો કાળા વાવટા ફરકાવે તે પહેલા કેટલાક કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી પાર્ટીના પ્રચાર દરમિયાન એક સંદિગ્ધ ટોળું નજરે પડતા પૂછ પરછ કરાઈ.
આપની સભામાં કેટલાક સંદિગ્ધ ઘૂસ્યા
પોલીસે સંદિગ્ધ ટોળાની કરી અટકાયત
મકતમપુરાના કેટલાકની અટકાયત
ગાંધીનગર મહાનગર પાલિકાનો ચૂંટણી પ્રચાર હવે અંતિમ તબક્કામાં છે ત્યારે ત્રણેય મોટા પક્ષો એડી-ચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મતદારોને રીઝવવા લાગી ગયા છે. દરમિયાન આમ આદમી પાર્ટીની સભામાં પોતાના જ કાર્યકરો કાળા વાવટા ફરકાવે તે પહેલા કેટલાક કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
આમ આદમી પાર્ટીના પ્રચાર દરમિયાન પોલીસની નજરમાં એક સંદિગ્ધ ટોળું આવતા,તેની પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસે ટોળાની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ જતા ષડયંત્ર ખુલ્લું પડ્યું હતું.આપના કાર્યકરોએ, અન્ય વિરોધી પાર્ટીઓ સામે દમનનો આરોપ મુકવા પ્લાન ઘડ્યો હતો. પોલીસે અટકાયત કરેલા લોકોમાં અમદાવાદના મક્તમપુરા વિસ્તારમાંથી આવેલા કેટલાક મહિલા-પુરુષોની અટકાયત કરવામાં આવી છે.અટકાયત થયેલા લોકોમાં એક વ્યક્તિ AMCની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો ઉમેદવાર હતો.
ગાંધીનગર મનપા પર હાથ પર લાવવા કોંગ્રેસના વચન
ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણી ત્રીજી ઓક્ટોબરે છે.આ ચૂંટણી અગાઉ કોરોનાની બીજી લહેર પૂર્વે યોજાનારી હતી, મોકૂફ રાખવામાં આવેલી આ ચૂંટણી હવે ત્રીજીઓ ઓક્ટોબરે યોજાશે મહાનગર પાલિકા ગાંધીનગરમાં ત્રિ-પાંખિયો જંગ છે. ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી.ગાંધીનગર મનપાને લઈને કોંગ્રેસ દ્વારા મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે..કોંગ્રેસના મેનિફેસ્ટોમાં કોંગ્રેસે તમામ વર્ગોને સાચવી લેવા સાથે પોતાના કામોની ગેરંટી આપી છે.કોંગ્રેસે ગાંધીનગરમાં 10 હજાર બેરોજગારોને રોજગારની ગેરંટી,કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ અને ખાનગીકરણની સંપૂર્ણ નાબુદીનું વચન આપ્યુ હતુ ઉપરાંત, સરકારી ભરતીનો અમલ,100 વીજ યુનિટ સુધી લાઈટ બિલ માફ.દરેક વોર્ડમાં ઈંગ્લિશ મીડિયમ સહિતની મોર્ડન શાળા,વિદ્યાર્થીઓને મફત શિક્ષણ,તથા ગાંધીનગરમાં ફી વાઈફાઈ, ગાય માટે સેવા કેન્દ્રો સહિતના વચન કોંગ્રેસે આપ્ચા છે.
ગાંધીનગર મનપામાં કમળ ખિલવવા ભાજપનો સંકલ્પ
બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ પણ પોતાના ઘોષણા પત્ર દ્વારા ગાંધીનગરના નાગરિકોને રીઝવવા પ્રયાસ કર્યો છે.ચૂંટણી જાહેર થયાના એક કલાક પૂર્વે જ પૂર્વ ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે સરકારી કર્મચારીઓને ભથ્થાની લહાણી કરી દીધી હતી. હવે ભારતીય જનતા પાર્ટીએ ગાંધીનગરને દેશનું સૌ પ્રથમ 24×7 પાણી આપતું શહેર બનાવવાનો સંકલ્પ કરવા સાથે 229 કરોડના ખર્ચે ગાંધીનગરને નર્મદાનું પાણી આપવાની વાતને પ્રાધાન્ય આપ્યું છે.સાથોસાથ GPSC/ ગૌણ સેવામાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાનો ભાજપનો સંકલ્પ કર્યો છે,રોજગાર વાંછું યુવાઓ અને નવા વિસ્તારો માટે નવું મહેકમ અને ભરતી કરવાનો સંકલ્પ પણ ઘોષણા પત્રમાં કર્યો છે. વધુમાં,નવી ટીપીના રોડ પહોળા કરવા સાથે મિલકત વેરો, વેપાર-ધંધાના વેરાની નવી સમીક્ષાનો વાયદો પણ કર્યો છે.