ક્યા દેશમાં ડિટેન્શન સેન્ટર છે અને બનાવવામાં આવી રહ્યા છે? શું અસમ લિસ્ટમાં જગ્યા ન બનાવી શકેલ લોકોને ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવી રહ્યા છે? શું નેશનલ રજિસ્ટર ઓફ સિટિજન્સ (NRC)ને ધ્યાને રાખતા ડિટેન્શન સેન્ટરોની તૈયારી થઇ રહી છે? ગૃહ મંત્રી અમિત શાહે ડિટેન્શન સેન્ટરને લઇને તમામ સવાલોનો જવાબ આપતા કહ્યું કે સમગ્ર દેશમાં એક પણ ડિટેન્શન સેન્ટર નથી બનાવવામાં આવી રહ્યું. તેમણે ભાર આપતા કહ્યું કે ડિટેન્શન સેન્ટરનો NRC અથવા CAA સાથે કોઇ સંબંધ નથી.
અસમમાંથી એક પણ વ્યક્તિને પણ ડિટેન્શન સેન્ટરમાં નથી મોકલાયા
ડિટેન્શન સેન્ટર અને NRC-CAAને કોઇ લેવાદેવા નથી
જે ઘુષણખોર તરીકે ઓળખાયા તેમને છ મહિના માટે સમય આપવામાં આવ્યો
NRC-CAAથી ડિટેન્શન સેન્ટરને લેવાદેવા નથી
ગૃહમંત્રીએ કહ્યું કે ડિટેન્શન સેન્ટરને NRC સાથે લેવાદેવા નથી. CAAથી તો આને દૂર દૂર સુધી સંબંધ નથી. CAAમાં શરણાર્થીઓને નાગરિકતાની જોગવાઇ છે, લેવાની નહીં તો પછી આના હેઠળ કોઈ શરણાર્થીને ગેરકાયદે ન ગણાવી શકાય. CAA જ્યારે કોઇને ઘુષણખોર નથી ગણાવતું તો તેના કારણે કોઇને ડિટેન્શન સેન્ટરમાં રાખવાનો સવાલ જ ક્યાથી ઉઠે છે.
અસમ NRCમાં ન આવનારને પણ ડિટેન્શન સેન્ટર નથી મોકલાયા
તેમણે સ્પષ્ટ કહ્યું કે અસમમાં એક ડિટેન્શન સેન્ટર વર્ષો પહેલા બન્યું, જેને મોદી સરકારે બનાવ્યું ન હતું. શાહે કહ્યું કે આ ડિટેન્શન સેન્ટરને પણ NRC અને CAA સાથે લેવાદેવા નથી. તેમણે જણાવ્યું કે અસમ NRC લિસ્ટમાં 19 લાખ લોકોના નામ ન આવ્યા, પરંતુ તેમાંથી એક પણ વ્યક્તિને પણ ડિટેન્શન સેન્ટરમાં નથી મોકલાયા.
શાહે કહ્યું કે અસમ NRCમાં કેટલાક લોકો ઘુષણખોર તરીકે ઓળખાયા છે તો તેમને છ મહિના માટે સમય આપવામાં આવ્યો છે કે તેઓ તાત્કાલિક ટ્રિબ્યુનલમાં પોતાનો પક્ષ રાખી શકે છે. જો તેમની પાસે પૈસા નથી તો કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારના ખર્ચે વકીલની વ્યવસ્થા થશે.
ગૃહ મંત્રીએ કહ્યું કે, અમે કેઇ ટ્રાઇબ્યૂનલ્સ બનાવ્યા, કોઇને પણ ડિટેન્શન સેન્ટરમાં નથી રાખ્યા. અસમમાં જે 19 લાખ લોકો NRCમાં ન આવી શક્યા, તેઓ પોતાના ઘરોમાં જ રહી રહ્યા છે, તેમણે ડિટેન્શન સેન્ટરમાં નથી રાખ્યા.
ડિપોર્ટ કરવાથી પહેલા ડિટેન્શન સેન્ટરમાં રાખવાની પ્રક્રિયા
ગૃહમંત્રીએ કહ્યું કે અસમમાં ડિટેન્શન સેન્ટરમાં એક સતત ચાલનારી પ્રક્રિયા હેઠળ બન્યું છે. ડિટેન્શન સેન્ટર અને NRCને કોઇ લેવાદેવા નથી. તેમણે કહ્યું આ જે પણ ડિટેન્શન સેન્ટરમાં ચર્ચામાં આવ્યા છે, ત્યાં છે. તમે ગેરકાયદે ભારતમાં રહેતા વ્યક્તિઓને પકડીને જેલમાં ન રાખી શકો. તેમને ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવે છે. બાદમાં તેના દેશ સાથે વાત કરવા કરી તેના પરત મોકલવામાં આવે છે.
દેશના ડિટેન્શન સેન્ટર ફંક્શનલ નહીં
શાહે કહ્યું કે દેશમાં આ એક ડિટેન્શન સેન્ટર છે, તે પણ ફંક્શનલ નથી. તેમણે કહ્યું કે ડિટેન્શલ સેન્ટર ક્યાંય નહીં બને, એક બનેલુ છે અસમમાં તે વર્ષોથી છે. કર્ણાટકમાં પણ કોઇ ડિટેન્શન સેન્ટર નથી. દેશમાં માત્ર એક જ ડિટેન્શન સેન્ટર અસમમાં છે. જોકે શાહે કહ્યું કે તેઓ આના પર સમગ્ર ખાતરી નથી. તેમણે કહ્યું કે કોઇ ડિટેન્શન સેન્ટર ફંક્શનલ નથી અને ન મોદી સરકાર બાદ કોઇ ડિટેન્શન સેન્ટર બન્યું છે.
શું છે ડિટેન્શન સેન્ટરની જરૂર?
શાહે કહ્યું કે ડિટેન્શન સેન્ટરની જરૂરિયાત ગેરકાયદે ભારત આવેલ વિદેશીઓને તેના દેશ પરત મોકલવા સુધી રાખવા માટે હોય છે. તેમણે જણાવ્યું કે માની લો હિમાલયન એરિયામાં કોઇ વિદેશીને જવાની મંજૂરી નથી અને કોઇ ચાલ્યું પણ જાય તો તેને પકડીને ડિટેન્શન સેન્ટરમાં જ રાખવા પડશે.
તેમણે કહ્યું કે, આ દેશમાં દુનિયાના કોઇ પણ વ્યક્તિ ઘુસીને રહેવા લાગ્યા, એવું ન બની શકે. આ દેશનો એક કાયદો છે. જો કોઇ વિદેશી ગેરકાયદે ભારતમાં વસવાટ કરી રહ્યો છે, અહીં રહેવાની મંજૂરી નથી, તેમની પાસે વીઝા નથી, પાસપોર્ટ નથી તો તેને પકડીને ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવે છે. બાદમાં તેને પરત તેમના દેશ મોકલી દેવામાં આવે છે એટલે ડિપોર્ટ કરવામાં આવે છે.