ઓમર અબ્દુલ્લાને ભલે નજરકેદથી રાહત મળી હોય પરંતુ તેમના પિતા અને પૂર્વ સીએમ ફારુખ અબ્દુલ્લા અને પીડીપી ચીફ હજુ પણ હાઉસ એરેસ્ટમાં છે. છેલ્લા 163 દિવસથી જમ્મૂ કાશ્મીરમાં નજરકેદ નેતાને હવે રાહત મળી છે. તેમને સરકારી ઘરમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. ઘરે પણ તેઓ સ્પેશિયલ સર્વિસ ગ્રુપના જવાનોની સુરક્ષામાં રહેશે.
ઓમર અબ્દુલ્લા પોતાના ઘરમાં જ રહેશે નજરકેદ
163 દિવસથી હતા હરિ નિવાસમાં
370 હટાવ્યા બાદ કરાયા હતા નજરકેદ
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના કાર્યકારી અધ્યક્ષ ઓમર અબ્દુલ્લાને હવે શ્રીનગરના ગુપકાર રોડ સ્થિત તેમના ઘરમાં શિફ્ટ કરવામાં આવશે. ઓમરને અત્યાર સુધી હરિ નિવાસમાં તકેદારીના ભાગરૂપે કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. 5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ની જોગવાઈઓ રદ કરાયા બાદ ઓમર અબ્દુલ્લા, પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તી સહિત તમામ નેતાઓને તકેદારીના ભાગરૂપે કસ્ટડીમાં લેવાયા હતા.
મહબૂબા મુક્તીને પહેલાં શિફ્ટ કરી દેવાયા હતા
શરૂઆતના દિવસોમાં મહબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લાને એક જ ગેસ્ટ હાઉસમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. બંને નેતા પૂર્વમાં હરિ નિવાસમાં રહી રહ્યાં હતા. જો કે બાદમાં મહબૂબાને ચશ્મે શાહી ગેસ્ટ હાઉસમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે હવે ઓમર અબ્દુલ્લાને પોતાના ઘરે શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. જો કે મહબૂબા મુફ્તી હજુ પણ લાલચોક પાસે એક ગેસ્ટ હાઉસમાં રહી રહ્યાં છે. તો ફારુક અબ્દુલ્લાને પબ્લિક સેફ્ટી એક્ટ અંતર્ગત નજરકેદ રખાયા છે. ઓમર અબ્દુલ્લા પોતાના ઘરે સ્પેશિયલ સર્વિસ ગ્રુપના જવાનોની સુરક્ષામાં રહેશે.
ઓમર અબ્દુલ્લાને અહીં કરાશે શિફ્ટ
મળતી માહિતી અનુસાર ઓમરને જ્યાં શિફટ્ કરવામાં આવી રહ્યા છે તે તેમના સરકારી ઘરની પાસે છે. તેમને શ્રીનગરના ગુપકર રોડના સરકારી બંગલા નંબર એમ-4માં શિફ્ટ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે 5 ઓગસ્ટ 2019માં મોદી સરકારે જમ્મૂ કાશ્મીરના ભારતીય સંવિધાનની કલમ 370ને હટાવી હતી ત્યારબાદ જમ્મૂ કાશ્મીર 2 ભાગોમાં એટલે કે જમ્મૂ કાશ્મીર અને લદ્દાખમાં વહેંચાઈને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ફેરવાયું હતું. આ સાથે અન્ય અનેક નેતાઓને પણ નજરકેદ કરવામાં આવ્યા હતા.