ઓટોપ્સીમાં દર્દીનું કોરોનાથી મૃત્યુ થયુ હોવાની પુષ્ટિ
ગુજરાતનો સૌ પ્રથમ કોરોના પોઝિટીવ કેસ 18 માર્ચે ૨૦૨૦ના રોજ નોંધાયા બાદ કોરોના એકદમ ઘાતક બન્યો હતો અને મોત અને કેસની સંખ્યાનું મોજુ ફરી વળ્યું હતું. આ સમય દરમિયાન અમદાવાદ શહેરની પી.ડી.યુ.સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી મૃત્યુ પામેલા ૩૩ નાગરિકોના મૃતદેહોની પેથોલોજીકલ ઓટોપ્સી રિસર્ચના હેતુસર કરવામાં આવી હતી જેની વિગતો હવે ઈન્ડીયન જર્નલ ઓફ મેડીકલ રિસર્ચમાં પ્રસિધ્ધ થયેલ છે.
કોરોનાથી મૃત્યુ પામેલા 33 લોકોની પેથોલોજીકલ ઓટોપ્સી કરાઈ હતી
કોઈ મહામારીથી નીપજતા મોતનું તબીબી કારણ જાણવા ગુજરાતમાં સૌ પ્રથમ 28 પુરુષો, 5 મહિલાઓ ના મૃતદેહોની ઓટોપ્સી કરવામાં આવી હતી. જેમાં મેક્રોસ્કોપીક તારણ મૂજબ પલ્મોનરી ઓડેમા એન્ડ થ્રોમ્બી એટલે કે ફેફસાંમાં ચેપ લાગવો (વેટ લંગ) અને લોહીના ગઠ્ઠા જામી જવા જેથી શ્વસનતંત્રની કાર્યવાહી ખોરવાઈ હતી. રિસર્ચ કરાયેલ મૃતદેહોમાં 33 પૈકી 29માં એટલે કે 87.88 ટકામાં આ કારણ જણાયું હતું.
રાજકોટમાં 16 માસ પૂર્વે થયેલી ઓટોપ્સીની વિગતો જાહેર કરાઇ
ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર-2021માં કોરોનાના પ્રથમ લહેર પછી તો 2021ના માર્ચ-એપ્રિલ માસમાં કોરોનાનું બીજી લહેર મોજુ ઘણું વધુ ઘાતક, જીવલેણ નિવડયું હતું અને રાજકોટમાં સ્મશાનો ટૂંકા પડયા હતા અને ત્યારબાદ જાન્યુઆરી-2022માં ત્રીજી લહેર આવતાં કોરોના કેસોમાં અનેકગણો વધુ ઉછાળો આવ્યો હતો, જો કે, મોતનું પ્રમાણ ઓછુ હતું. આમ સિવિલ હોસ્પિટલે એક તબક્કે ઓટોપ્સીના તારણો જાહેર કરવા તૈયારી કરી પરંતુ, ગમે તે કારણોસર આશરે 16 માસથી આ તારણો જાહેર કરાયા ન્હોતા.